રાજ્યના સર્વાંગી વિકાસ માટે સામાન્ય કાર્યકર તરીકે કામ કરીશ મુખ્યમંત્રી એકનાથ શિંદેની ખાત્રી
હું રાજ્યના સર્વાંગી વિકાસ માટે એક સામાન્ય કાર્યકર તરીકે કામ કરી રહ્યો છું. શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેની અપેક્ષા પ્રમાણે અમે સામાન્ય નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે આનંદ દિઘેના ઉપદેશો અનુસાર કામ કરી રહ્યા છીએ, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું.
ગુરુ પૂર્ણિમાના અવસરે મુખ્યમંત્રી શ્રી.શિંદે ટેંભી નાકા ખાતે આવેલા આનંદાશ્રમમાં આવ્યા હતા. આ સમયે તેઓ શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેને યાદ કરી સ્વ. આનંદ દિઘેની પ્રતિમાનું પૂજન કરી અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સંજય શિરસાટ, ભરત ગોગાવલે, પ્રતાપ સરનાઈક, ડો. બાલાજી કિનીકર, રવિન્દ્ર ફાટક, થાણે મ્યુનિસિપલ કમિશનર વિપિન શર્મા, જિલ્લા કલેક્ટર રાજેશ નાર્વેકર અને અન્ય કોર્પોરેટરો, પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી શિંદેએ જણાવ્યું હતું કે ગુરુ પૂર્ણિમાના અવસર પર શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરે અને સ્વ. આનંદ દિઘેને વંદન કરી આ બંન્નેના ઉપદેશને આચરણમાં મૂકીને સામાન્ય માણસને ન્યાય આપવાનો પ્રયાસ કરીશું. તેમણે કહ્યું કે તેઓ રાજ્યના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
આ સમયે સ્વ.દિઘેને અંજલિ અર્પણ કરવા તેમજ મુખ્યમંત્રી શ્રી. શિંદેને શુભેચ્છા પાઠવવા કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. મુખ્યમંત્રીએ કાર્યકરોનું અભિવાદન સ્વીકાર્યું હતું.