Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

શહેરમાં સ્વચ્છતા અને પરિવહન વ્યવસ્થાને પ્રાધાન્ય અપાશે!, કલ્યાણ ડોમ્બિવલી મહાપાલિકાના ના કમિશનર ડૉ.ભાઉસાહેબ દાંગડેના ઉદગારો

શહેરમા સ્વચ્છતા અને પરિવહન વ્યવસ્થા ને પ્રાધાન્ય આપીશ એવુ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર ડૉ.ભાઉસાહેબ દાંગડેએ આજે ​કમિશનર ડો.વિજય સૂર્યવંશી પાસેથી કમિશનર નો હોદ્દો સંભાળ્યા બાદ પત્રકાર પરિષદને સંબોધિત કરતા ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.


અમે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સ્વચ્છતા ઉપરાંત, અમે અનધિકૃત બાંધકામો, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા પર પણ ધ્યાન આપીશું,એવુ તેમણે ઉમેર્યું.  સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ૬૭ વેલનેસ સેન્ટરો મંજૂર કર્યા છે, જે આરોગ્ય પ્રણાલીને સુધારવામાં મદદ કરશે, એમ તેમણે જણાવ્યું હતું.

કમિશનર ડો.  ભાઈસાહેબ ડાંગડેને અગાઉ ડેપ્યુટી કમિશનર, (મહેસૂલ) કોંકણ વિભાગ, નવી મુંબઈ, અધ્યક્ષ, જાતિ પ્રમાણપત્ર ચકાસણી સમિતિ, રાયગઢ, મુખ્ય કાર્યકારી અધિકારી, જિલ્લા પરિષદ, થાણે વગેરે તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.  તેમણે અનેક મહત્વપૂર્ણ પદો સંભાળ્યા છે.

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads