કલ્યાણ ડોમ્બીવલી મહાનગરપાલિકા ના કમિશનર ડૉ.ભાઉ સાહેબ દાંગડેએઙ મહાનગરપાલિકાના શરુ રહેલા અને અધુરા રહેલા પ્રોજેક્ટ સ્થળોની મુલાકાત લીધી હતી આ સમયે રસ્તામાં રહેલા અતિક્રમણને તુરંત તોડવા,નો આદેશ દાંગડેએ અધિકારીઓને આપ્યો હતો. મુલાકાત દરમ્યાન સ્માર્ટ સિટી કલ્યાણ ડોમ્બીવલી કૉર્પોરેશન લિમિટેડ ના મુખ્ય કાયૅકારી અધિકારી પ્રલ્હાદ રોડે, કાયૅકારી અભિયંતા તરુવર જુનેજા,ઉપાયુક્ત ધૈયૅશીલ જાધવ વિગેરે ઉપસ્થિત હતા.
ડૉ.દાંગડેએ કચોરે અને ઉંબરે ફેઝ ૧ અને ૨ના બી.એસ.યુ.પી. પ્રોજેક્ટ ની મુલાકાત લીધી.કચોરે ખાતે ના બી.એસ.યુ.પી. પ્રોજેક્ટમાંના ૩૭૧ સદનીકાઓનુ પહેલા વિતરણ કરવામાં આવ્યું છે અને ૭૧૧ સદનીકાઓ હજૂ વિતરણ કરવાની બાકી છે. કોરોના મહામહામારી દરમ્યાન સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી દરવાજા,ખિડકીઓ, વિજળી ના સાધનો ચોરી થવાથી તેના સમારકામ કરવામાં આવ્યા બાદ તેનું વિતરણ કરવામાં આવશે તેમજ ઉંબરે ફેઝ ૧ ના બી.એસ.યુ.પી. પ્રોજેક્ટ ની ૬૦૦ સદનીકાઓના કામ પુરા થવા આવ્યા હોઈ ત્રણ મહિના માં હસ્તાતરીત કરી શકાશે એવી માહિતી કાયૅકારી અભિયંતા રોહીણી નોકરે આપતાં આ સદનિકાઓનુ વિતરણ કરવાની કાર્યવાહી કરવાનો નિર્દેશ કમિશનર એ આ પ્રસંગે આપ્યો.