કલ્યાણ પૂર્વમાં નિર્ભયા કેસના આરોપીઓને ફાંસી આપવાની માંગ, ૯ દિવસ પછી બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો.
જૂન 20, 2022
0
કલ્યાણ પૂર્વ નિર્ભયા કેસ માટે ન્યાય મેળવવાનો સંઘર્ષ તેજ બની રહ્યો છે. ક્રૂરતાની તમામ હદ વટાવીને સગીર બાળકીને આત્મહત્યા કરવા મજબૂર કરનાર રાક્ષસોને ફાંસી આપવાની માંગણી ઉઠી છે. આ માટે, ૧૯ જૂન, ૨૦૨૨,ને રવિવારના રોજ, બેનરો અને પોસ્ટરો સાથે હજારો લોકોએ કોલસેવાડી પોલીસ સ્ટેશનની સામે પ્રદર્શન કર્યું અને દિલ્હીની જેમ કલ્યાણ પૂર્વના નિર્ભયા કેસના આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી હતી. જોકે પોલીસે મૃતકની સહેલી કાજલ જયસ્વાલ સહિત વિજય યાદવ, પ્રમેદ તિવારી, ક્રિષ્ના જયસ્વાલ, સની ઉર્ફે નિમેશ ઠાકુર, આનંદ દુબે, શિવમ પાંડે અને નિખિલ મિશ્રા સહિત કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે, સગીર નિર્ભયાને મર્યાદા ઓળંગીને મરવા મજબૂર કરનારા લોકો પર બળાત્કારની કલમ આટલી મોડી કેમ લગાવવામાં આવી ? જ્યારે મરતા પહેલા નિર્ભયાએ સુસાઈડ નોટમાં આ શૈતાનોની ક્રૂરતા લખીને ઈમારત પરથી કૂદી પડી હતી. કલ્યાણ પૂર્વમાં ૧૨મા ધોરણની સગીર વિદ્યાર્થિની પર માત્ર ગેંગરેપ જ નથી થયો, પરંતુ ધરપકડ કરાયેલા ગુનેગારો તેનો અશ્લીલ વીડિયો બનાવીને તેને બ્લેકમેલ કરવાનું ચાલુ રાખ્યું હતું. નિર્ભયાની મિત્ર કાજલ જયસ્વાલ અને તેનો ભાઈ કૃષ્ણા જયસ્વાલ ક્રૂરતાની આ રમતમાં મુખ્ય ભૂમિકામાં હોવાનું માનવામાં આવે છે. કારણ હતું નિર્ભયા અને કાજલની એકબીજાના ઘરે મુલાકાત અને બંન્ને એકબીજાના મિત્રો હતા. એટલા માટે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે કાજલના મોબાઈલ ફોનની તપાસ કરવી જોઈએ. ઘટનાને એક સપ્તાહથી વધુ સમય વીતી ગયો છે પરંતુ પોલીસ હજુ પણ અંધારામાં તીર મારી રહી છે અને તપાસની દિશા પણ બદલાઈ ગઈ છે. આ જ કારણ છે કે રવિવારે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને નિર્ભયા કેસના આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી હતી.
Tags



