ડોમ્બિવલીના ૩ ભૂતપૂર્વ મનસેના કોર્પોરેટરો આજે શિવબંધન બાંધીને શિવસેનામાં જોડાયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેમજ પાલક મંત્રી અને શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદેની હાજરીમાં તેઓ શિવસેનામાં જોડાતાં કલ્યાણ-ડોમ્બિવલીમાં મનસે માટે મોટો ફટકો માનવામાં આવે છે.
કલ્યાણ ગ્રામીણ વિસ્તારના ઘણા મનસે પદાધિકારીઓ હોઈ અહી મનસે મજબૂત છે, મનસે ધારાસભ્ય રાજુ પાટીલ પર તેમણે નારાજગી વ્યક્ત કરી છે. કલ્યાણ-ડોમ્બિવલીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના માટે મોટો ફટકો માનવામાં આવે છે.
પૂર્વ કોર્પોરેટર પૂજા પાટીલ, મનસેના તાલુકા પ્રમુખ અને કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના સભ્ય ગજાનન પાટીલ, પૂર્વ કોર્પોરેટર અને જિલ્લા સચિવ પ્રકાશ માને, ડોમ્બિવલી શહેર સંગઠક સંજીવ તામ્હાણે અને પદાધિકારીઓ સુભાષ પાટીલ અને અન્ના પાંડે શિવસેના પક્ષમાં જોડાયા છે.નિશાંત પાટીલ, ભાસ્કર ગાંગુર્ડે. વિઠ્ઠલ શિંદે, વિદ્યાર્થી સેનાના પ્રવીણ પરદેશી અને સંદીપ મોરે શિવસેનામાં જોડાયાહોવાનુ જાણવા મળે છે.
બીજી તરફ શિવસેના દબાણની નીતિ અપનાવી રહી છે અને અનેક કોર્પોરેટરોને ધમકીઓ આપવામાં આવી રહી છે એવો મનસે ધારાસભ્ય રાજુ પાટીલે આરોપ લગાવ્યો છે. તેમના પર દબાણ કરીને તેમને પાર્ટીમાં જોડાવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
અગાઉ મનસેમાં વિપક્ષના નેતાનું પદ સંભાળી રહેલા મંદાર હલબે ભાજપમાં જોડાયા હતા. હવે, ત્રણ ભૂતપૂર્વ મનસેના કોર્પોરેટરોની શિવસેના મા પુનઃપ્રવેશથી પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અગાઉ કોરોનાને લીધે અને ત્યારબાદ OBC અનામતને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ટૂંક સમયમાં ચૂંટણી યોજવામાં આવશે. આ પૃષ્ઠભૂમિમાં, રાજકીય ક્ષેત્રે એક પક્ષ માં થી બીજા પક્ષમાં જવાનો શિલસિલો શરુ થયો છે.



