ઉલ્લાસનગરમાં કોરોનાની બીજી લહેર દરમિયાન પેશંન્ટોની સંખ્યા ઝડપથી વધવા લાગી હતી તેથી મનપાએ સાઈ પ્લૅટિનમઆ હૉસ્પિટલને દર મહિને ૨૦ લાખ રૂપિયા ભાડાપર લીધી હતી. હાલમાં આ હૉસ્પિટલમાં એક પણ કોરોના પેશંન્ટની સારવાર ચાલતી નથી તેમ છતાં મહાનગરપાલિકા તેનુ ભાડુ ભરી રહી છે તેનુ આશ્ર્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. શહેરમાં હાલ પાંચ સક્રીય પેશંન્ટ છે.તેથી મહાનગરપાલિકાએ ભાડા કરાર રદ કરી આ હૉસ્પિટલ પરત કરવાની માંગણી થઈ રહી છે.
ઉલ્લાસનગરમાં કોરોના મહામારી દરમિયાન મહાપાલિકાના તત્કાલીન કમિશનરે પેશન્ટોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારનુ સરકારી પ્રસુતિ ગૃહ તાબામાં લઈ તેનુ કોવિડ હોસ્પિટલમાં રુપાન્તર કર્યું. તે શિવાય સેન્ટ્રલ હોસ્પિટલ,રેડક્રૉસ હોસ્પિટલ પણ રેડી રખ્યુ. એ સમયે મહાનગર પાલિકાના પોતાના હોસ્પિટલની ઉણપને લીધે શાંતી નગર ખાતે આવેલા સત્ય સાંઈ પ્લૅટિનમ આ ખાનગી હોસ્પિટલને દર મહિને ૨૦ લાખ રૂપિયા ભાડાના ધોરણે લીધુ. તેથી નાગરિકોને પુરતી સારવાર મળી શકી.
દરમ્યાન કોરોના પેશંન્ટો માટે મહાનગરપાલિકા કમિશનર ડૉ.રાજા દયાનિધી અને ઉપાયુક્ત અશોક નાઈકવાડે એ સેન્ચુરી રેયોન કંપની પરિસરમાં અંન્ટેલીયા ખાતે પાલીકાએ ૨૦૦ બેડનુ હોસ્પિટલ ઉભુ કર્યું. પરંતુ આ હોસ્પિટલ ઉદધાટનની પ્રતિક્ષામાં છે.
આવુ હોવા છતાં અને પેશન્ટ નહોવા છતાં ખાનગી હોસ્પિટલને ભાડા પેટે ૨૦ લાખ રૂપિયા આંધણ શા માટે ? કોના માટે ? એવો સવાલ લોક પ્રતિનિધિ અને નાગરિકો કરી રહ્યા છે. ભવિષ્યમાં કોરોના પેશંન્ટો વધવાના હોવાનુ ધારીલઈ સાઈ પ્લૅટિનમ હોસ્પિટલ શરુ રાખવામાં આવશે એવુ મહાનગરપાલિકા ઉપાયુક્ત સુભાષ જાધવે જણાવ્યું.