માલમત્તા કર અને પાણી વેરાના થકબાકીદારો પર કઠોર કાર્યવાહીનો દંડુકો ઉગામી થાણા મનપા કમિશનર ડૉ.વિપીન શમૉએ માજીવાડા-માનપાડા પ્રભાગ સમિતિ માંના થકબાકીદારોની માલમત્તા જપ્ત કરી પાણી પુરવઠો ખંડીત કર્યો છે.
જે થકબાકીદારો કર ભરશે નહીં તેમના વિરોધમાં કડક કાર્યવાહી કરી તેઓના નળ જોડાણ ખંડીત કરવાનો આદેશ આપ્યો છે.તે પ્રમાણે સોમવારે માજીવાડા- માનપાડા પ્રભાગ સમિતિ અંતર્ગત ૨૦૨૧-૨૨ આ આર્થિક વર્ષની આખરે જે મિલકત ધારકોએ માલમત્તા કરની થકબાકી અને ચાલુ વર્ષના ટેક્ષની રકમ હજુ સુધી ભરેલી નહી હોય તો આવા મિલકત ધારકોની મિલકતો પર સહાયક કમિશનર કલ્પીતા પિપળેના માગૅદશૅન હેઠળ કાયૉલય અધીક્ષક, કર નિરીક્ષક અને કમૅચારીઓએ જપ્તીની કાયૅવાહી કરી. તેમા માજીવાડા-માનપાડા પ્રભાગ સમિતિમાંના બ્લોક ક્ર.૯૭ માંના સૅમ્યુઅલ નાડરની ફરસાણ ફેક્ટરી, જીતેન્દ્ર પાટીલની પાંચ અનિવાસી મિલકતો (ગાળા), મહાવિર કલ્પવૃક્ષ (ક્લબ હાઉસ) આ મિલકતોના કુલ ૨૬ લાખ થકબાકી હોવાથી તેઓની માલમત્તા જપ્ત કરી તેમજ આર મૉલ ઘોડબંદર રોડ આ મિલ્કત ૧૩૮ કરોડની માલમત્તા કર થકીત હોવાથી તેમનુ પાણી ખંડીત કરીને જપ્તીની નોટીસ બજાવી છે