Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કલ્યાણ ડોમ્બિવલીના રસ્તાપરના મોરારજી દેસાઈના ચિત્ર ઉપર કાળો રંગ લગાવી નિષેધ વ્યક્ત કરતી મહારાષ્ટ્ર એકીકરણ સમિતિ.


કલ્યાણ ડોમ્બિવલીના સમાન્તર રસ્તા પર કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસના આદેશ થી દેશના પ્રખ્યાત ખેલાડીઓ, ક્રાંતિકારીઓ તેમજ પ્રતિષ્ઠિત રાજકીય નેતાઓના ચિત્રો દોરવામાં આવ્યા હતા. આ રસ્તાપરની ભિત ઉપરના રંગીન ચિત્રોને લીધે આ રસ્તાના સૌંદર્યમા વધારો થયો હતો.

પરંતુ ગઈ કાલે ડોમ્બિવલીની મહારાષ્ટ્ર એકીકરણ સમિતિના દિનેશ સાવંત સહિત તેમના સહકારીઓએ મોરારજી દેસાઈના ચિત્રપર કાળો રંગ લગાવી નિષેધ વ્યક્ત કર્યો હતો. આ બાબતે ટિળક નગર પોલીસે આ સમિતિના સભ્યોને તાબામાં લીધા હોવાનું જાણવા મળ્યું છે. મહારાષ્ટ્ર એકીકરણ સમિતિના આટલા વર્ષો પછી પણ ભૂતપૂર્વ વડાપ્રધાન અને થાણા જીલ્લાના ભૂતપૂર્વ કલેકટર મોરારજી દેસાઈના વિરોધની આ પ્રકારની ધટનાથી કલ્યાણ ડોમ્બિવલીમા અનેક વર્ષથી અહી વસતા ગુજરાતીઓએ નારાજગી વ્યક્ત કરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads