Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

થાણામાં પણ ૫૦૦ ચોરસ ફુટ ના ઘરોને વહેલી તકે મળશે કર માફી, પ્રસ્તાવ અંતિમ મંજૂરી માટે સકાર પાસે, નિણૅય તરફ સર્વેનુ ધ્યાન.


થાણા મહાનગરપાલિકાની હદમાંના ૫૦૦ ચૌરસ ફુટના ઘરોનો માલમત્તા કર માફીનો પ્રસ્તાવ નવેમ્બરની મહા સભામાં મંજૂર કરાયો હતો. ત્યારબાદ જેમના ઘરોનુ ચટઈ ક્ષેત્ર ૫૦૦ ચૌરસ ફુટ હશે અથવા તેના કરતાં ઓછુ,એવા સર્વે નિવાસી માલમત્તા ધારકોને માલમત્તા કર માફ કરવાનો ઠરાવ કરેલો હોઈ તે સરકાર પાસે મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યો છે.

મુંબઈ પ્રમાણે થાણાનો પણ કેટલાક દિવસોમાં નિણૅય આવવાની શક્યતા છે. તેથી મહાનગરપાલિકા ની હદમાંના નાગરિકોને પણ ૫૦૦ ચૌરસ ફુટના ઘરોનો માલમત્તા કર માફ થવાનો છે. પરંતુ તેના લીધે મહા નગર પાલિકાપર અંદાજે ૧૫૦ કરોડનો બોઝ પડવાનો છે.

થાણા મહાનગરપાલિકાની ૨૦૧૭ માં થયેલ ચૂંટણીટાણે સત્તાધારી શિવસેનાએ ૫૦૦ ચૌરસ ફુટના ઘરોના માલમત્તા કર માફ કરવાનુ વચન આપ્યું હતું. તે પ્રમાણે ૫૦૦ ચૌરસ ફુટના ઘરોના માલમત્તા કરમાફીનો ઠરાવ નવેમ્બરની મહાસભામાં મંજૂર કરાયો હતો. તે પ્રમાણે હવે  જેનુ ચટઈ ક્ષેત્ર ૫૦૦ ચૌરસ ફુટ હશે એવા સર્વેનો માલમત્તા કર માફકરવાનો અંતિમ ઠરાવ કરવામાં આવ્યો છે તે પ્રમાણે માલમત્તા કર આ ૨૦૨૨-૨૦૨૩ આ આર્થિક વર્ષથી માફ કરવા બાબત નો ધોરણાત્મક નિણૅય લીધો છે. આને લીધે પડનારી ખોટ ભરપાઈ કરવા માટે મહાનગરપાલિકા એ અન્ય ઉત્પન્ન સ્રોત મારફત પયૉય ઉપલ્દ કરવો એવું આ ઠરાવ માં કહ્યું છે.

દરમ્યાન આ ઠરાવ અંતિમ મંજૂરી માટે રાજ્ય સરકાર પાસે ડિસેમ્બરમાં મોકલી આપ્યો છે. આવનારા કેટલાક દિવસોમાં તેનાપર નિણૅય થવાનો હોવાનું કહેવાય છે.આ ઠરાવ મંજૂર થયા બાદ થાણા મહાનગરપાલિકા હદમાંના નાગરિકોને મોટો દિલાસો મળવાનો છે.

પાંચ વર્ષ પછી જાગ્યા છે, ચૂંટણીઓને ધ્યાનમાં લેતાં આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ફક્ત ૫૦૦ ચૌરસ ફુટજ કેમ ? ખાસ કોને કરમાફી મળવાની છે આ પણ ગુલદસ્તામાં છે તેમાં પણ આ નિણૅયને લીધે મનપાને ખાડામાં નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એવુ જાગૃત નાગરિક મિલીન્દ ગાયકવાડ નુ કહેવુ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads