વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કપિલ પાટીલ ફાઉન્ડેશને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંના જરુરીયાતમંદો માટે એક રૂપિયાનું ક્લિનિક શરૂ કર્યું છે. ભિવંડી મતવિસ્તારમાં કુલ ૧૧ ક્લિનિક છે અને કેન્દ્રીય પંચાયત રાજ્ય મંત્રી કપિલ પાટીલે આ ક્લિનિકમાં ટૂંક સમયમાં મફત દવાઓ આપવાનું વચન આપ્યું હતું. દરમિયાન, ભારતીય જનતા યુવા મોરચાએ ભિવંડી લોકસભા મતવિસ્તારમાં યુવા યોદ્ધાઓનું નેટવર્ક બનાવ્યું છે અને આજે ૧૦૦ શાખાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
બદલાપુર ખાતે યોજાયેલા મુખ્ય સમારોહમાં રાજ્યમંત્રી કપિલ પાટીલે ભિવંડી લોકસભા મતવિસ્તારમાં વન રૂપી ક્લિનિકનું ઉદ્ઘાટન કર્યું હતું. ધારાસભ્ય કિસન કથોરે, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ દેવેશ પાટીલ, બદલાપુર ભાજપ શહેર પ્રમુખ સંજય ભોઈર, પૂર્વ ઉપપ્રમુખ રાજશ્રી ગોરપડે, ભાજપ જિલ્લા પ્રમુખ શ્રીધર પાટીલ, રાજેન્દ્ર ગોરપડે, સંભાજી શિંદે અને અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા.
કપિલ પાટીલ ફાઉન્ડેશનના પ્રમુખ સુમિત પાટીલે કેન્દ્રીય રાજ્યમંત્રી કપિલ પાટીલના માર્ગદર્શન હેઠળ વન રૂપી ક્લિનિક શરૂ કર્યું છે. બદલાપુર (પૂર્વ), બદલાપુર (પશ્ચિમ), ટીટવાલા (પૂર્વ), પડઘા, કસારા, મુરબાદ, ધસાઇ, ડોલખંભ, કિન્હવલી, અંબાડી, સુરાઇ ફાટા ખાતેના કેન્દ્રોનું આજે એક સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે દર્દીઓને માત્ર એક રૂપિયામાં સારવાર આપવામાં આવી હતી. તે સમયે, કપિલ પાટીલે નજીકના ભવિષ્યમાં ૧૧ ક્લિનિકમાંથી મફત દવાઓ આપવાનું વચન આપ્યું હતું.
ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ દેવેશ પાટીલે વડાપ્રધાનના જન્મદિવસ પ્રસંગે શરૂ થતા સેવા સપ્તાહ દરમિયાન યુવા યોદ્ધાઓનું નેટવર્ક બનાવવાનો નિર્ણય કર્યો છે. તદનુસાર, ભિવંડી લોકસભા મતવિસ્તારમાં ભાજપના ૧૧ સભ્યોની ટીમ બનાવવામાં આવશે. આ ટીમના માધ્યમથી લોકોની સમસ્યાઓ ઉકેલવાને પ્રાથમિકતા આપવામાં આવશે. બદલાપુરમાં ૪૭ અને ભિવંડીમાં આજે ૫૦ શાખાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. દેવેશ પાટીલની સાથે યુવા મોરચાના જિલ્લા પ્રમુખ શ્રીધર પાટીલ અને મહામંત્રી જયવંત હરદ પણ ઉપસ્થિત રહ્યા હતા. આગામી બેથી ત્રણ દિવસમાં ૨૦૦ શાખાઓનું ઉદઘાટન કરવામાં આવશે.




