Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

એકલી બિમાર વૃદ્ધાના બેન્ક ખાતાંમાં ૧૨ લાખ, ઉલ્હાસનગર માં પડીગયેલા ઘરમાં ગુજારો કરે છે


છેલ્લા કેટલાક સમયથી અંધ દરદી સાથે રહેતી અને એકલવાયું જીવન જીવતી ૮૦ વર્ષીય વૃધ્ધા લૉક ડાઉનને લીધે કોઈ આપે તે અન્ન ઉપર પોતાનો ગુજારો કરતાં હતા ગઈ કાલે અચાનક તેમની તબિયત લથડતાં તેની જાણ સ્થાનિક સામાજિક કાયૅકર જગદીશ તેજવાની અને પપ્પુ પમનાનીને થતાં તેઓ આ વૃધ્ધાના ઘરે દોડી આવ્યા હતા.આ વૃધ્ધા ના નામપર સાધારણ આઠ લાખ ની રકમ બેન્ક ખાતાંમાં જમા પડેલી હોવાનું જાણવા મળ્યું જ્યારે ઘરમાંના કબાટમાં જૂની ૫૦૦ રુપિયાની નોટોનુ ૮૫ હજાર નુ પડીકું મળી આવ્યુ. વિઠ્ઠલવાડી પોલીસે આ માલમત્તાની ખાતરી કરી છે.

કૌશલ્યા વાધવા આ વૃધ્ધાનુ નામ છે. કૌશલ્યા ૧૫૭૫ નંબરના બૅરેક માં એકલાજ રહે છે કૌશલ્યાના ઘરનો કેટલોક ભાગ તુટી ગયો છે આ બાબતે માહિતી મળતાં અહીના સામાજિક કાયૅકરો મળી ને સહકાર આપવા માટે કૌશલ્યા ના ઘરે ગયા. ઘરે જતા કૌશલ્યા બિમાર હોવાની જાણકારી મળી તેથી કૌશલ્યા ને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લીધો પરંતુ તુટી ગયેલા ઘરમાં ચોરી થવાની શક્યતા ને લીધે આ બાબતે વિઠ્ઠલવાડી પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ. કૌશલ્યા ના જમવાની વ્યવસ્થા કયૉ બાદ પોલીસે કબાટમાં થી ૮૫ હજાર રૂપિયા,૧૦૦ની નોટોનુ બંડલ,સોનાની બંગડીઓ,કાનના દાગીના તેમજ બેન્ક ખાતાંમાં ૧૦ લાખની ફીક્સ દિપોઝીટની રસીદોના કાગળો મળી આવ્યા હોવાનું પોલીસે પંચનામું કરી કાગળો જમા કર્યા.

કૌશલ્યા વાધવા ની હોસ્પિટલમાં સારવાર કરાયા બાદ તેમને ઘરે છોડવામાં આવ્યા છે. પહેલાં કૌશલ્યા નોકરી કરતી હતી તેમના પતિ હરપાલસિંહ નુ નિધન થયું છે કૌશલ્યા ને કોઈ બાળક નોહતુ. હરપાલસિંહ ને દૃષ્ટિ દોષ હોવાથી તેઓ મંદિર દરબારમાં ભજન- કિતૅન કરતા હતા. કૌશલ્યાના ભાણીયાનુ પણ નિધન થયેલ છે તેની વહુ મુલુંડમાં રહે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads