Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

નરેન્દ્ર મોદી જ ૨૦૨૪મા ફરી થશે વડાપ્રધાન, કપીલ પાટીલ એ વ્યક્ત કર્યો વિશ્વાસ,જન આશિવૉદ યાત્રાનો થાણાથી પ્રારંભ


વિરોધી પક્ષો ગમે તેટલા એકસાથે આવે તો પણ નરેન્દ્ર મોદી જ ૨૦૨૪મા દેશના વડાપ્રધાન બનશે એવો વિશ્ર્વાસ કેન્દ્રીય પંચાયતરાજ રાજ્યમંત્રી કપિલ પાટીલે સોમવારે થાણા મા વ્યક્ત કર્યો. નિયોજીત નવી મુંબઈ એરપોર્ટ ને દિ.બા.પાટીલનુ નામ આપવામાં આવે આ ભૂમિ પૂત્રોનીજ ઈચ્છા અને માગણી હોવાનો પુનરોચ્ચાર તેમણે આ સમયે કર્યો.

જીલ્લા માથી કેન્દ્રીય મંત્રી મંડળમાં પ્રથમવાર સમાવેશ થયેલા પાટીલની આગેવાની માં થાણા અને રાયગઢ જિલ્લામાં પાંચ દિવસ જન આશિવૉદ રેલી કાઢવામાં આવી છે આ યાત્રા નો શુભારંભ થાણાના આનંદ નગર ચેકનાકાથી સોમવારે સવારે ૧૦.૩૦ વાગે થયો ત્યારબાદ થાણા શહેરમાં ના ઈન્દિરા નગર,વાગળે એસ્ટેટ, નિતીન કંપની,પાચ પાખડી માગ્રૅ આ યાત્રા મસુદા તળાવ ખાતે આવી.ત્યા છત્રપતિ શિવાજી મહારાજ ના પુતળા ને પુષ્પહાર અપૅણ કર્યા બાદ તેમણે માધ્યમો સમક્ષ મનોગત વ્યક્ત કર્યો.તેમણે આગળ જણાવ્યું કે મોદિ એ જનતાભિમુખ કારભાર ચલાવ્યો છે તેમના સ્વતંત્રતા દિવસ નિમિત્તે કરેલા ભાષણમાં દેશના યુવાનો ને બિરદાવ્યા હતા,દેશની યુવા પેઢી અને જનતા મોદિનુ નેતૃત્વ માન્ય કરે છે. રાજકારણની દિશા અલગ કરવા માટે દેશમાં ના વિરોધી પક્ષનેતા એક થાય છે ગમે તેટલા પક્ષો એકસાથે આવે તોપણ ૨૦૨૪મા મોદી જ વડાપ્રધાન બનશે આ કાળા પથ્થર પરની લકીર છે.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads