વીજળી બીલોની થકબાકી ન ભરવાને કારણે એમએસઇડીસીએલના કલ્યાણ સકૅલમાં ૭૦ હજાર ૬૬૮ ગ્રાહકોનો વીજ પુરવઠો અસ્થાયી રૂપે કાપી નાખવામાં આવ્યો છે. આ ગ્રાહકોના રૂ.૧૦૫ કરોડ બાકી છે અને હાલના વીજળી બિલની સાથે બાકી રકમ અને પુન: જોડાણની રકમ ચુકવણી કર્યા પછી જ તેમનો વીજળી પુરવઠો ફરી જોડી શકાશે. આ ઉપરાંત કલ્યાણ મહા વિતરણ પરિ મંડળમાં ૭ લાખ ૮૩ હજાર ગ્રાહકોએ માર્ચ ૨૦૨૧ સુધીમાંનુ ૪૦૨ કરોડ રૂપિયાનું વીજળી બિલ બાકી રાખ્યું છે. આ સિવાય એપ્રિલથી જૂન ૨૦૨૧ સુધીના ત્રણ મહિનાના બાકીના રૂ.૧૪૨ કરોડ પર બિલ પહોંચી ગયુ છે. હાલમાં, એમએસઇડીસીએલની આર્થિક સ્થિતિ ખરાબ છે અને વીજ ગ્રાહકોએ વર્તમાન વીજળી બિલની સાથે બાકી ચુકવણી કરવી જોઇએ અને અવિરત વીજ પુરવઠાનો લાભ લેવો જોઇએ, તેવી અપીલ ચીફ ઇજનેર દિનેશ અગ્રવાલે કરી છે.
કલ્યાણ મંડળમા સમાવેશ એવા કલ્યાણ ડોમ્બિવલીમાં ૮૭૭૧ ગ્રાહકોની (૭ કરોડ ૭ લાખ થકબાકી છે), થાણે જિલ્લા અને ઉલ્હાસનગરમાં ૧૪,૯૨૩ ગ્રાહકોની (૪૯ કરોડ થકબાકી છે), વસઇ અને વિરારની, સૌથી વધુ ૨૭ હજાર ૫૨૭ ગ્રાહકોની થકબાકી(૨૮ કરોડ ૩૩ લાખ) જ્યારે પાલઘર જિલ્લામાં વસાઇ મંડળની કચેરીના ૧૯ હજાર ૪૬૫ ગ્રાહકોની થકબાકી (વસાઇ અને વિરાર વિભાગને બાદ કરતાં) (૨૦ કરોડ ૭૪ લાખ છે) આ સવૅ ગ્રાહકો ના કનેક્શન અસ્થાયી રૂપે કાપી નાખવામાં આવ્યા છે. આ ઘરગથ્થુ, વ્યાપારી અને ઔદ્યોગિક લો પ્રેશર ગ્રાહકોએ નવેમ્બર ૨૦૨૦ થી વીજળીના બિલોનો એક રૂપિયો પણ ચૂકવ્યો નથી. પરિણામે, તેમનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો છે.
સ્થાનિક, વાણિજ્યિક અને ઔદ્યોગિક તેમજ આ ક્ષેત્રમાં જાહેર સેવાઓ માટેના બાકી ગ્રાહકોને વીજળી પુરવઠો બંધ કરવા માટે આ અભિયાનને વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે. કોઈ પણ અગવડતા ન થાય તે માટે, મુખ્ય ઇજનેર અગ્રવાલે એમએસઇડીસીએલ તરફથી ઉપલબ્ધ સુવિધાઓનો લાભ લેવા અને વર્તમાન અને થકબાકી વીજળી બિલની ચૂકવણી કરીને સહકાર આપવા અપીલ કરી છે, બાકી વીજળી બીલ અને પુન: જોડાણ ચાર્જ ચૂકવ્યા વિના વીજળી પુરવઠો ફરી સ્થાપિત કરવામાં આવશે નહીં. પડોશીઓ પાસેથી અથવા ગેરકાયદેસર રીતે વીજળી પુરવઠો લેવો જોખમી છે અને તે આપનાર અને લેનારા બંન્ને સામે કાર્યવાહી કરી શકે છે. આથી મુખ્ય ઇજનેર દિનેશ અગ્રવાલે આ વિસ્તારના વીજ ગ્રાહકોને સત્તાવાર રીતે વીજળીનો ઉપયોગ કરવા અપીલ કરી છે.