Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ગુરુપૂર્ણિમાનું મહત્વ અને આપત્‍કાલીન સ્‍થિતિમાં ધર્મશાસ્‍ત્ર અનુસાર ગુરુપૂર્ણિમા કેવી રીતે ઉજવવી!


‘ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ: ગુરુર્દેવો મહેશ્વર:
ગુરુ: સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમ: ॥

 અર્થ : ગુરુ બ્રહ્મા છે, ગુરુ સર્વવ્યાપી ભગવાન વિષ્ણુ છે અને ગુરુ શંકર છે. એટલું જ નહીં, પણ તે સાક્ષાત પરબ્રહ્મ છે. હું આવા ગુરુઓને નમસ્કાર કરું છું.

ગુરુપૂર્ણિમા એટલે કે ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ. આ વર્ષે વ્‍યાસપૂર્ણિમા, અર્થાત્ ગુરુપૂર્ણિમા 23 જુલાઈ ના દિવસે છે. સનાતન સંસ્‍થા વતી સંકલિત કરેલા સદર લેખ માંથી, ગુરુપૂર્ણિમા અને ગુરુ શિષ્ય પરંપરાનું મહત્વ તેમજ ગુરુપૂજનની વિધિ આ વિષય બાબત જાણી લઈએ. કોરોનાનો પ્રાદુર્ભાવ હજુ કેટલાક જગ્યાઓપર હોવાથી આ વર્ષે પણ હંમેશાંની જેમ પ્રત્યક્ષ ગુરુપૂર્ણિમા ઊજવવામાં મર્યાદા આવી શકે છે. પ્રસ્‍તુત લેખમાં કોરોના સંકટકાળમાં નિર્બંધો વચ્‍ચે પણ ગુરુપૂર્ણિમા કેવી રીતે ઊજવવી, તે અપડે સમજી લઈશું.

1. મહત્ત્વ

હિંદુ સંસ્કૃતિમાં ગુરુનું મહત્ત્વ અનન્યસાધારણ કહ્યું છે. તેથી જ અષાઢ પૂર્ણિમાના દિવસે ગુરૂપૂજન કરવામાં આવે છે. તેનેજ ગુરુપૂર્ણિમા તેમ જ વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. વ્યાસ મુનિએ માનવજાતી પર કરેલા જ્ઞાનદાનના ઉપકાર મહાન છે. વ્યાસ મુનિએ આપેલા જ્ઞાનને કારણે માનવી પોતાના કર્મબંધનમાંથી મુક્ત થાય છે.

॥ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા ડ મૃતં ગમય ॥

આ શ્લોકમાં એક વિજ્ઞાન છે. તે એમ છે કે, આ માયારૂપી જગતમાં જડ અને ચૈતન્ય દ્વારા કાર્ય થતું હોય છે. આવરણ એ જડ, અસત્, તમસ અને નાશ પામનારું છે, જ્યારે તેની અંદર રહેલું ચૈતન્ય એ સત્, જ્યોતિર્મય, પ્રકાશમય, સ્વસંવેદ્ય, ચૈતન્યમય અને અમર, કાયમસ્વરૂપી આનંદમય છે. જડસ્વરૂપ સગુણ આ તો કેવળ સાધન છે. તેથી ગુરુ આ જગતની, આ માયાની સત્યસ્થિતિનું શિષ્યને ભાન કરાવીને અમરરૂપી આત્મતત્ત્વ ભણી તેને લઈ જાય છે. આ મહાન કાર્ય ગુરુકૃપાને કારણે બની શકે છે.

ગુરુ શિષ્યને અસત્ય એવા માયાના પાશમાંથી મુક્ત કરીને તેને સત્ય એવા આત્મતત્ત્વ ભણી દોરી જાય છે. વાસ્તવિક માયા આ સાધન છે અને તે જ સત્ય છે, એવા ભ્રમરૂપી અજ્ઞાનમાંથી ગુરુ તેને પોતાના આત્મજ્ઞાન દ્વારા આત્મપ્રકાશ ભણી દોરી જાય છે. શરીરના મોહને કારણે ‘શરીર અમર રહેવું જોઈએ’, એવું તે સમજતો હોવાથી તેને સતત મૃત્યુનો ભય રહે છે. આવા મૃત્યુનો ભય રહેલા શિષ્યને ગુરુદેવ આત્મરૂપી અમર તત્ત્વ ભણી લઈ જાય છે.

જીવતત્ત્વ જ્યારે ભૂતલ પર જન્મે છે, ત્યારે તે આગળ જતાં માયાના પ્રભાવને કારણે માયાને જ સત્ય સમજી લઈને તેના સકંજામાં સપડાઈને કાર્ય કરવા લાગે છે. કળિયુગમાં તેને માતા-પિતા સત્યની જાણ કરી આપતા નથી તેમ જ સમાજ પણ માયામાં સપડાયો હોવાથી સત્યનાં દર્શન કરાવી આપતો નથી. કેવળ ગુરુ, કે જેમને સત્યનો બોધ થયો છે, તેઓ જ તે જીવને સાધનામાર્ગ દ્વારા સત્યની અનુભૂતિ કરાવી આપે છે.

2. રાષ્ટ્ર અને ધર્મરક્ષણની શીખામણ આપનારા ગુરુદેવના કાર્યનું સ્મરણ કરો ! 

અ. આર્ય ચાણક્યએ તક્ષશિલા વિદ્યાપીઠમાં ‘આચાર્ય’ પદપર નિયુક્ત થયા પછી તેમણે કેવળ વિદ્યાદાનમાં જ ધન્યતા માની લેવાને બદલે, ચંદ્રગુપ્ત જેવા અનેક શિષ્યોને ક્ષાત્ર-ઉપાસના કરવાનો મહામંત્ર પ્રદાન કરીને તેમની પાસેથી પારકાં ગ્રીક લોકોનું હિંદુસ્થાન પરનું આક્રમણ વખોડી કાઢ્યું અને હિંદુસ્થાનને એકસંઘ બનાવ્યો.

આ. પ્રત્યક્ષ પ્રભુ શ્રીરામચંદ્રજીનાં દર્શન થયેલાં સમર્થ રામદાસસ્વામી કેવળ રામનામના જપમાં રમમાણ થવાને બદલે, સમાજે બળ-ઉપાસના કરવી, તે માટે તેમણે અનેક ઠેકાણે હનુમાનજીની સ્થાપના કરી અને શિવાજી મહારાજજીને અનુગ્રહ આપીને તેમની પાસેથી ‘હિંદવી સ્વરાજ્ય’ની સ્થાપના કરાવી લીધી.

ઇ. વર્તમાન કાળમાં થઈ ગયેલા સ્વામી વરદાનંદ ભારતી અને મહાયોગી ગુરુદેવ કાટેસ્વામીજી, આ પણ તેવા જ મહાન ગુરુદેવ હતા. ધર્મ અને અધ્યાત્મની શીખામણ આપતી વેળાએ જ આ મહાપુરુષોની લેખણી બની તલવાર, તે કેવળ રાષ્ટ્ર અને ધર્મના કર્તવ્યો વિશે નિદ્રાધીન રહેલાં હિંદુ સમાજને જાગૃત કરવા માટે જ !

આવા તો કંઈ કેટલાયે ગુરુજનો છે કે, જેમણે પોતાના આચાર-વિચારો દ્વારા પોતાના શિષ્યો અને સમાજ સામે પણ રાષ્ટ્ર અને ધર્મ રક્ષણના પવિત્ર કાર્યનો આદર્શ મૂક્યો છે. 

3.  ગુરુપૂજનની વિધિ

એક ધૂત વસ્ત્ર આગળ પાથરીને તેના પર ગંધ વડે પૂર્વથી પશ્ચિમ તરફ અને ઉત્તરથી દક્ષિણ તરફ એવી બાર લીટીઓ દોરાય છે. તે જ વ્યાસપીઠ છે. પછી બ્રહ્મા, પરાત્પરશક્તિ, વ્યાસ, શુકદેવ, ગૌડપાદ, ગોવિંદસ્વામી અને શંકરાચાર્યનું તે વ્યાસપીઠ પર આવાહન કરીને તેમની ષોડશોપચારે પૂજા કરાય છે. આ જ દિવસે દીક્ષાગુરુ અને માતાપિતાની પણ પૂજા કરવાનો રિવાજ છે. તામિળ પ્રદેશમાં આ વ્યાસપૂજા જેઠ પૂર્ણિમાને દિવસે કરે છે. કુંકોણમ્ અને શૃંગેરી આ શંકરાચાર્યના દક્ષિણ ભારતના પ્રસિદ્ધ પીઠો છે. આ સ્થાને વ્યાસપૂજાનો મહોત્સવ થાય છે. ગુરુપરંપરામાં વ્યાસને સર્વશ્રેષ્ઠ ગુરુ માનવામાં આવ્યા છે. સર્વ જ્ઞાનનો ઉગમ વ્યાસ પાસેથી જ થાય છે, એવી ભારતીયોની ધારણા છે. 

4. આપત્‍કાલીન સ્‍થિતિમાં (કોરોનાની પાર્શ્‍વભૂમિ પર) ધર્મશાસ્‍ત્ર અનુસાર ગુરુપૂર્ણિમા ઊજવવાની પદ્ધતિ! 

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાની પૃષ્ઠભૂમિ પર ગુરૂપુર્ણિમા મહોત્સવ ઉજવવા માટે  મર્યાદા હોઈ શકે છે. હિંદુ ધર્મમાં આપત્‍કાળ માટે ધર્માચરણમાં કેટલાક પર્યાય કહ્યા છે. તેને ‘આપદ્ધર્મ’ કહે છે. આપદ્ધર્મ એટલે ‘આપદિ કર્તવ્‍યો ધર્મઃ।’ અર્થાત્ આપદામાં (આપત્તિમાં) આચરવાનો ધર્મ. વર્તમાનમાં કોરોનાની પાર્શ્‍વભૂમિ પર સદર લેખમાં વર્તમાન સ્‍થિતિમાં ધર્માચરણ તરીકે શું કરી શકાય, તેનો વિચાર અત્રે કરવામાં આવ્‍યો છે. અહીં મહત્ત્વનું સૂત્ર એમ છે કે, હિંદુ ધર્મએ કયા સ્‍તર પર જઈને માનવીનો વિચાર કર્યો છે, એ શીખવા મળે છે. તેમાંથી હિંદુ ધર્મનું એકમેવાદ્વિતીયત્‍વ રેખાંકિત થાય છે.

અ. બધાએ પોતપોતાના  ઘરે ભક્તિભાવથી ગુરુપૂજન  અથવા માનસપૂજા કરવાથી પણ લાભ મળી શકવો

ગુરુપૂર્ણિમાના દિવસે મોટાભાગના લોકો તેમના શ્રી ગુરુદેવને ત્‍યાં જઈને તેમના પ્રત્‍યે કૃતજ્ઞતા વ્‍યક્ત કરે છે. પ્રત્‍યેકની શ્રદ્ધા અનુસાર કોઈ શ્રી ગુરુ, કોઈ માતા-પિતા, કોઈ વિદ્યાગુરુ (જેમણે આપણને જ્ઞાન આપ્‍યું, તે શિક્ષક), કોઈ આચાર્યગુરુ (આપણે ત્‍યાં પરંપરાગત પૂજા માટે આવનારા ગુરુજી), જ્‍યારે કોઈ મોક્ષગુરુ (જેમણે આપણને સાધનામાં દિશાદર્શન કર્યું, મોક્ષનો માર્ગ બતાવ્‍યો, તે શ્રી ગુરુ) પાસે જઈને તેમનાં ચરણોમાં કૃતજ્ઞતા વ્‍યક્ત કરે છે. આ વર્ષે કોરોના મહામારીની પાર્શ્‍વભૂમિ પર આપણે ઘરે રહીને ભક્તિભાવથી શ્રી ગુરુના છાયાચિત્રનું પૂજન અથવા માનસપૂજન ભાવપૂર્ણ રીતે કરવાથી પણ આપણને ગુરુતત્ત્વનો લાભ એક સહસ્ર ગણો થશે. પ્રત્‍યેકની શ્રદ્ધા અનુસાર ઉપાસ્‍યદેવતા, સંત અથવા શ્રી ગુરુ ભલે જુદા હોય, છતાં ગુરુતત્ત્વ એકજ હોય છે. 

આ. સર્વ ભક્તોએ એકજ સમયે પૂજા કરવાથી સંગઠિત શક્તિનો લાભ થઈ શકવો

સંપ્રદાયમાંના સર્વ ભક્તોએ પૂજનનો સમય નક્કી કરીને બને ત્‍યાં સુધી તે જ સમયે પોત-પોતાના ઘરે પૂજન કરવું. ‘એકજ સમયે પૂજન કરવાથી સંગઠિત શક્તિનો વધારે લાભ મળે છે’, તે માટે સર્વાનુમતથી બને ત્‍યાં સુધી એક સમય નક્કી કરીને તે સમયે પૂજન કરવું.

* સવારનો સમય પૂજા માટે ઉત્તમ માનવામાં આવે છે. જેમને સવારે પૂજા કરવાનું બનતું હોય, તેમણે સવારનો સમય નક્કી કરીને તે સમયે પૂજા કરવી. કેટલાક અપરિહાર્ય કારણોસર જેમને સવારે પૂજા કરવી શક્ય ન હોય, તેમણે સાંજનો એકાદ સમય નક્કી કરીને તે સમયે; પણ સૂર્યાસ્‍ત પહેલાં, અર્થાત્ સાંજે ૭ કલાક પહેલાં પૂજા કરવી. જેમને નક્કી કરેલા સમયે પૂજા કરવાનું સંભવ નથી, તેમણે પોત-પોતાના સમય અનુસાર પણ સૂર્યાસ્‍ત પહેલાં પૂજા કરવી.

* પ્રત્‍યેકે પોત-પોતાના સંપ્રદાય અનુસાર શ્રી ગુરુ અથવા ઉપાસ્‍યદેવતાનું ચિત્ર, મૂર્તિ અથવા પાદુકાનું ઘરે પૂજન કરવું. ચિત્ર, મૂર્તિ અથવા પાદુકાને ગંધ (ચંદન) લગાડીને પુષ્‍પ ચડાવવું. ધૂપ, દીપ અને નૈવેદ્ય ધરીને પંચોપચાર પૂજા કરવી. પછી શ્રી ગુરુદેવની આરતી ઉતારવી. જેઓ સામગ્રીના અભાવથી પ્રત્‍યક્ષ પૂજા કરી શકતા નથી, તેમણે શ્રી ગુરુ અથવા ઉપાસ્‍યદેવતાની માનસપૂજા કરવી.

* ત્‍યાર પછી શ્રી ગુરુએ આપેલા મંત્રનો જપ કરવો. શ્રી ગુરુ આપણા જીવનમાં આવ્‍યા પછી થયેલી અનુભૂતિઓનું સ્‍મરણ કરીને તેમના પ્રત્‍યે કૃતજ્ઞતા વ્‍યક્ત કરવી. એ સમયે ‘સમગ્ર વર્ષ દરમ્‍યાન આપણે સાધનામાં ક્યાં ઓછા પડ્યા ? આપણે શ્રી ગુરુની શિખામણનું કેટલા પ્રમાણમાં આચરણ કર્યું ?’ તેનું પણ સિંહાવલોકન કરીને તેનું ચિંતન કરવું.’

સંદર્ભ : સનાતન સંસ્થાનો ગ્રંથ 'તહેવાર, ધાર્મિક ઉત્સવ અને વ્રત'  

- શ્રીમતી નયના ભગત, પ્રવક્તા, સનાતન સંસ્થા



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads