કલ્યાણનજીક એવા નાસિક-પડગા હાઇવે જનારા રસ્તાપરના ગાંધારી બ્રિજ પરનો ખાડો આજ કાલ જીવલેણ સાબિત થયો છે. સમાચાર છે કે ગયા શનિવારે એક અકસ્માત થયો હતો જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. ગાંધારી બ્રિજ પર બનેલો આ એક ફૂટનો ખાડો મોટર સાયકલ સવારો માટે ગંભીર સમસ્યા બની રહ્યો છે. અહેવાલ છે કે ટુ-વ્હીલર ચાલકો ઘણીવાર રાત્રે અંધારામાં આવે છે ત્યારે આ ખાડામાં પડી અકસ્માત નો ભોગ બને છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ખાડો લાંબા સમયથી અહીં રહ્યો છે પરંતુ પીડબ્લ્યુડી વહીવટ તંત્ર ઘોર નિંદ્રાધીન છે. પુલ પર રોડ લાઈટ ન હોવાને કારણે અંધારામાં ખાડા દેખાતા નથી, જેથી બાઇક સવારો આ ખાડામાં પડી અકસ્માતમ બને છે અને તેમના હાથ પગ તોડી નાખે છે. એક અઠવાડિયામાં બે અકસ્માત થયા હોવાના અહેવાલ છે જેમાં એક મહિલાનું મોત નીપજ્યું છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ બાબતે સ્થાનિક સાંસદ કપિલ પાટીલને આ વિશેની માહિતી મળી ત્યારે તેમણે તાત્કાલિક પીડબ્લ્યુડી અધિકારીઓ સાથે વાત કરી. પાટિલે કહ્યું કે અધિકારીઓએ બે દિવસમાં ખાડો ભરવાની ખાતરી આપી છે. હવે જોવામાં આવશે કે પીડબ્લ્યુડી અધિકારીઓ આ ખાડાને બે દિવસમાં ભરી દે છે કે પછી સમાન્ય લોકો ખાડામાં પડીને અકસ્માતોનો ભોગ બનતા રહેશે?



