ભિવંડી શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં ૭ કિમીનો રિંગરોડ મદદ રૂપ બનશે
શહેરી વિકાસ પ્રધાન એકનાથ શિંદેએ આજે એમએમઆરડીએ દ્વારા ભિવંડી શહેરને બાયપાસ કરીને અંજુર ફાટાને જોડતા રિંગરોડના કામને પૂર્ણ કરવાની મંજૂરી આપી છે. આનાથી ભિવંડી શહેરને ટ્રાફિક જામથી મુક્તિ મળે તે માટેનો માર્ગ ખુલ્લો થયો છે.
અર્બન ડેવલપમેન્ટ મંત્રીએ આજે ભિવંડી નજીકના ચાવિડા ગામથી અંજુરફાટાને જોડતા પોગાવ-ટેમઘર-કામતઘર-ફેણા સુધીના સાત કિલોમીટર લાંબા રિંગ રોડને મંજૂરી આપી છે. આ માર્ગ એમએમઆરડીએ દ્વારા પૂર્ણ કરવામાં આવશે. તેથી, ભવિષ્યમાં, નાગરિકોને આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાથી મુક્ત મળશે. આજની બેઠકમાં શહેરી વિકાસ પ્રધાન એકનાથ શિંદેએ એમએમઆરડીએ કમિશનરને કામ વહેલી તકે પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો.
આ રિંગરોડ માટે નાણાં એમએમઆરડીએ દ્વારા પૂરા પાડવામાં આવશે અને આ પ્રોજેક્ટના માર્ગમાં આવતી તમામ અવરોધો દૂર કરવામાં આવશે અને ભિવંડી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમીન સંપાદનની કામગીરી કરવામાં આવશે. આજની બેઠકમાં આગામી ૧૫ દિવસમાં સંયુક્ત બેઠક યોજીને આ રિંગરોડનું કામ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે ભિવંડી શહેરમાં ટ્રાફિક ભીડને હલ કરવા માટે આ રિંગરોડ ખૂબજ મહત્વનો છે. આ રીંગ રોડ માત્ર ભિવંડી શહેરમાં ટ્રાફિકની સમસ્યાને જ સરળ બનાવશે એવુ નથી, પરંતુ સમૃદ્ધિ હાઈવે શરૂ થતાં વાહનચાલકો માટે ભિવંડીનો સમાંતર આંતરિક માર્ગ બનશે. તેથી, તે સમૃદ્ધિ હાઇવે પર વાહનોની સંખ્યાને નિયંત્રિત કરવામાં પણ મદદ મળશે, તેથી તેને સમયસર પૂર્ણ કરવાની જરૂર છે એવી શિંદેએ આ વખતે સ્પષ્ટતા કરી.
આ બેઠકની અધ્યક્ષતા એમએમઆરડીએ કમિશનર એસ.વી.એસ. શ્રીનિવાસ, થાણે જિલ્લા કલેક્ટર રાજેશ નારવેકર, ભિવંડી નિઝામપુર મ્યુનિસિપલ કમિશનર પંકજ આશિયા, નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક) બાળાસાહેબ પાટીલ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



