રાજ્યના માહિતી અને જનસંપર્ક સચિવ અને ડાયરેક્ટર જનરલ ડો. દિલીપ પંઢરપટ્ટેએ સિડકો દ્વારા બનાવવામાં આવેલ નવી મુંબઈમાંના પત્રકાર ભવનનું નિરીક્ષણ કર્યું હતું.
તેમની સાથે કોંકણ ડિવિઝનના નાયબ નિયામક ડો.ગણેશ મૂળે અને નવી મુંબઇ પ્રેસ ક્લબના પ્રમુખ શ્રી મનોજ જાલનાવાલા પણ ઉપસ્થિત હતા. નવી મુંબઈ વિસ્તારમાં પત્રકારો માટે સિડકો દ્વારા બનાવવામાં આવેલી બિલ્ડિંગનો ઉપયોગ ભવિષ્યમાં મીડિયા અને પત્રકારો માટે થઈ શકે છે. ડો.પંઢરપટ્ટે જણાવ્યું હતું કે, આ બિલ્ડિંગનો ઉપયોગ ભવિષ્યમાં માહિતી અને જનસંપર્ક વિભાગ પણ કરી શકે છે. આ બિલ્ડિંગનું નિર્માણ સિડકો દ્વારા કરવામાં આવ્યું છે અને આંતરીક કામગીરી ચાલી રહી છે.



