સોમ થી શુક્ર સવારે ૭ થી સાંજે ૪ સવૅ પ્રકારના વેપાર કરવાની છૂટ,મોલ, થિયેટર બંધ રહેશે
કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સર્વ પ્રકારના વેપારીઓ ને સોમવાર થી શુક્રવાર સવારે ૭ થી સાંજે ૪.૦૦ સુધી દુકાનો ખુલી રાખી વેપાર કરવાની છૂટ આપી છે. જ્યારે આવશ્યક સેવાની દુકાનો દરરોજ ચાલુ રહેશે.
મનપા વિસ્તારોમાંના મોલ્સ, થિયેટર, મલ્ટિપ્લેક્સ સિનેમા,નાટ્યગૃહ બંધ રહેશે, જ્યારે હોટલો સોમવારે થી શુક્રવાર સુધી સાંજે ૪.૦૦ વાગ્યા સુધી ૫૦ટકા આસન ક્ષમતાસાથે પ્રત્યક્ષ ભોજનમાટે ખુલ્લી રાખી શકશે, ત્યારબાદ હોમ ડિલિવરી પાસૅલ સેવા તેઓ આપી શકશે.
લોકલ ટ્રેન સેવાનો આવશ્યક સેવા, સરકારી કર્મચારીઓ લાભ લઈ શકશે. સાવૅજનિક મૈદાન, મોર્નિંગ વોક,સાયકલ વૉક માટે સવારે ૫.૦૦થીસવારે ૯.૦૦ છૂટ આપવામા આવી છે.
ખાનગી ઓફિસમાં ૫૦ ટકા ક્ષમતા સાથે સોમવારે થી શુક્રવાર સુધીસવારે ૭.થી સાંજે ૪.૦૦ વાગ્યા સુધી શરુ રાખવાની છૂટ આપવામા આવી છે.
સામાજિક, રાજકીય, મનોરંજન કાર્યક્રમ માટે સોમવારે થી શુક્રવાર સાંજ ના ૪.૦૦ સુધી ૫૦ ટકા ઉપસ્થિતિમાં છૂટ છે, લગ્ન સમારંભ ૫૦ વ્યક્તિ, અંતિમસંસ્કાર ૨૦ વ્યક્તિ ની મયૉદા રખાઈ છે.
મેળાવડામાં, ચૂંટણીમાં,સવૅ સાધારણસભા, માટે ૫૦ ટકા ક્ષમતા સાથે છૂટ આપવામા આવી છે. બાંધકામ ક્ષેત્રે,અને કૃષિ વિષયક કામ માટે દરરોજ સાંજે ૪.૦૦ સુધીની છૂટ આપી છે. ઈ-કૉમસૅ દરરોજ નિયમિત શરુ રાખવાની છૂટ છે.
જીમ,સલુન,સ્પા, બ્યુટી પાર્લ, વેલનેસ સેન્ટર એસી ન ચલાવવાની શરતે ૫૦ ટકા ક્ષમતા સાથેશરુ કરવાની છૂટ આપવામા આવી છે.આ શિવાય કોઈપણ પ્રકારના ઉત્પાદન કરતા એકમોને ૫૦ ટકા કામદારોની ક્ષમતા મર્યાદિત કરાઈ છે જ્યારે આવશ્યક ઉત્પાદન અને નિયૉત કરનારા એકમો નિયમિત શરુ રાખી શકવાની છૂટ આપવામાં આવી છે. આ શિવાય માલ વાહતુક માટે નિયમિત શરુ રાખવાની છૂટ છે.આ બાબતે મહા પાલીકા કમિશનર ડૉ.વિજય સૂયૅવંશીએ આજે કાઢેલા આદેશમા ઉપરોક્ત છૂટ આપી છે.



