Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

મહારાષ્ટ્રમાં વિકએન્ડ લોડડાઉનની ઘોષણા, કોરોના પર નિયંત્રણ માટે કડક કરાયા નિયમો

મુંબઈમાં અત્યાર સુધીમાં 600 બિલ્ડિંગોને સીલ કરી દેવામાં આવી છે



મહારાષ્ટ્રમાં  દરરોજ રેકોર્ડ તોડતા કોરોના વાયરસ પર નિયંત્રણ લગાવવા માટે રાજ્યની ઉદ્ધવ ઠાકરેની સરકારે આ માટે નિયમો કડક કર્યા છે. રાજ્યમાં વીકએન્ડ અને રાતનું લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. લાંબા સમયથી, સવાલો ઉઠી રહ્યા હતા કે કોરોનાનાં વધતા જતા કેસો પછી રાજ્યને ફરીથી લોકડાઉનનો સામનો કરવો પડશે કે કેમ. આ અંગે નિર્ણય લઈને મહારાષ્ટ્ર સરકારે કેબિનેટની બેઠક બાદ જાહેરાત કરી કે 30 એપ્રિલ સુધી રાજ્યમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવશે નહીં. તો, વિકેન્ડ અને નાઇટ્સ લોકડાઉન જેવી વ્યવસ્થાઓથી કોરોનાનાં કેસો પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરાશે. આ અંતર્ગત શુક્રવારે સાંજે 8 થી સોમવારે સવારે 7 વાગ્યા સુધી રાજ્યમાં લોકડાઉન થશે. તો, રાત્રે માત્ર આવશ્યક સેવા કરનારાઓને વાહન ચલાવવાની અથવા મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. આ સમય દરમિયાન, બસો, ટ્રેનો અને રિક્ષા ચલાવવાની છૂટ આપવામાં આવશે અને બસમાં માત્ર તેટલા લોકો જ મુસાફરી કરી શકશે, જેટલી તેમાં બેસવાની ક્ષમતા હશે.

થિયેટરો, રેસ્ટોરાં, મોલ્સ અને બાર સંપૂર્ણ બંધ રહેશે. જ્યાં વધુ કલાકારો અને સ્ટાફને હાજર રહેવું પડે, એવા શુટિંગ્સને પણ મંજૂરી આપવામાં આવશે નહીં. રાજ્ય સરકારના પ્રધાન અસલમ શેખે રવિવારે આની જાહેરાત કરી છે. કોરોના વિશેની ચિંતાઓ વચ્ચે રાજધાની મુંબઈમાં અત્યાર સુધીમાં 600 બિલ્ડિંગોને સીલ કરી દેવામાં આવી છે. એટલે કે, કોઈ પણ આ ઇમારતોમાંથી બહાર જઈ શકશે નહીં અને અંદર પણ આવી શકશે નહીં. પરવાનગી ફક્ત વિશેષ પરિસ્થિતિમાં જ આપવામાં આવશે. તમામ આવશ્યક ચીજોની ડિલિવરી ગેટ પર કરવામાં આવશે. ઇમારતો 14 દિવસ માટે સીલ કરવામાં આવે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads