લગ્ન સમારોહ દરમિયાન નિયમોના ભંગના કિસ્સામાં 30 મી એપ્રિલ સુધી સંબંધિત મંગળ કાયૉલયને સીલ કરી દેવામાં આવશે. એવુ કમિશનર ડૉ. વિજય સૂર્યવંશીએ જણાવ્યું છે. કડોમપા વિસ્તારમાં દિવસેને દિવસે કોરોના ફાટી નીકળવાની ઘટનાઓ વધી રહી હોવાથી દર્દીઓની વધતી સંખ્યાને અંકુશમાં રાખવાના વિઝનને લાગુ કરવા કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન મુખ્યાલયમાં મળેલી બેઠકમાં તેમણે આ સૂચના આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શાકભાજી બજાર અને લગ્ન સમારોહમાં ભીડને કારણે કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના હોવાથી આ મુદ્દાઓને નિયંત્રણમાં રાખવું મહત્વ પૂર્ણ હતું.
પોલીસ અને મ્યુનિસિપલ કર્મચારીઓએ મંગળ કાયૉલયોમાં ઉપસ્થિત રહીને સમારંભને અંકુશમાં લેવો જોઇએ તેવું એડિશનલ પોલીસ કમિશનર દત્તા કરાલેએ સૂચન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવા વિસ્તારની પાસે બેરિકેડ ગોઠવવા જોઈએ જેથી સંબંધિત વિસ્તારના નાગરિકો જાગ્રત રહે.
માસ્ક ન પહેરતા નાગરિકો સામે મહાપાલિકા શિક્ષાત્મક કાર્યવાહી કરે છે, તેમ છતાં ઘણા નાગરિકો માસ્ક પહેર્યા વગર ફરતા જોવા મળે છે, તેથી માસ્ક વગર ફરવાવાળા વ્યક્તિઓની એન્ટિજેન ટેસ્ટ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. એડિશનલ પોલીસ કમિશનર દત્તા કરાલેએ પોલીસને માસ્કની કાર્યવાહી માટે રસીદ પુસ્તકો આપવાની સૂચના કરી હતી.
જો હોમ આઇસોલેશનમાં કોઈ દર્દી બહાર ફરતો જોવા મળે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશનર ડો. વિજય સૂર્યવંશીએ આ વખતે જણાવ્યું હતું. તેવી જ રીતે, આવશ્યક સેવાની દુકાનોની બહાર નાગરિકોની ભીડને ટાળવા તેમજ સામાજિક અંતરનું પાલન સુનિશ્ચિત કરવા માટે, દુકાનદારોએ સામાજિક અંતરને ચિહ્નિત કરવું જોઈએ અને વૉર્ડ ક્ષેત્રના અધિકારીઓ અને પોલીસ વહીવટીતંત્રએ ખાતરી કરવી જોઈએ કે આ માર્કિંગ થાય છે કે નહીં. એવો નિર્દેશ ડૉ. વિજય સૂર્યવંશીએ આપ્યો હતો.
બેઠકમાં એડિશનલ પોલીસ કમિશનર દત્તા કરાલે, મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ કમિશનર સુનીલ પવાર, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સર્કલ -3 વિવેક પાનસરે, મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગીય નાયબ કમિશનરો, મ્યુનિસિપલ મેડિકલ હેલ્થ ઓફિસર ડો. અશ્વિની પાટીલ, પાલિકા સચિવ, સંજય જાધવ, મ્યુનિસિપલ કોમ્યુનિકેબલ રોગો નિયંત્રણ અધિકારી ડો. પાન પાટીલ, આસિ. પોલીસ કમિશનર અનિલ પોવાર,કેડીએમસીના તમામ વોર્ડ અધિકારીઓ અને અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



