કલ્યાણમાં લગ્ન સમારોહમાં ભીડ એકત્રીત કરવા બદલ શિવસેનાના પૂર્વ કોર્પોરેટર સહિત ત્રણ વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે નિયમોનું ઉલ્લંઘન કરીને લગ્નમાં મોટી સંખ્યામાં ભીડ એકત્ર થવાને કારણે કાર્યવાહી કરવામાં આવી છે. શિવસેનાના પૂર્વ કોર્પોરેટર સુનિલ વાયલે સામે કેસ નોંધવામાં આવ્યો છે. ટીવી ચેનલએ આ સંદર્ભમાં સમાચાર બતાવ્યા હતા. કલ્યાણ શિવસેના પૂર્વ કોર્પોરેટર સુનીલ વાયલેની પુત્રીના લગ્નમાં ભીડ એકઠી કરવા સંદર્ભે આ ગુનો નોંધાવ્યો છે
કલ્યાણની મહાત્મા ફૂલે પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધ્યો હતો. એક જ જગ્યાએ બે દિગ્ગજ પરિવાર નો લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો. એક યુવતીના પિતા પૂર્વ કોર્પોરેટર સુનીલ વાયલે છે. જ્યારે બીજી પુત્રી ના પિતા સુરેશ મ્હાત્રે છે. બંને વરવધુના પિતા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. લોન્સના ચાલક રમેશસિંહ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે
કલ્યાણ પશ્ચિમમાં ચિકનઘર વિસ્તારમાં, શિવસેનાના પૂર્વ કોર્પોરેટર સુનિલ વાયેલે અને શાલિની વાયલેની પુત્રીના લગ્નમાં એક જ ભીડ જોવા મળી હતી. સામાજિક અંતર સિવાય ઘણા લોકોના ચહેરા પર માસ્ક પણ નહોતા. નોંધનીય છે કે લગ્ન સમારોહ માટેની સમયમર્યાદાનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે ૨ એપ્રિલે સામાન્ય લોકોને નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. કોરોનાથી બચવા માટે શું કરવું જોઈએ તે પણ કહ્યું. આ પ્રસંગે ઠાકરેએ ભાજપના નેતાઓ પર પ્રહાર પણ કર્યા હતા. જો કે, તેમના હોદ્દેદારો અને કોર્પોરેટરો મુખ્યમંત્રીનીજ વાત સાંભળતા નથી તે આ લગ્ન સમારંભ ઉપરથી જોવા મળ્યું છે
પોલીસે ડોમ્બિવલીમાં વિરોધ કરી રહેલા મનસેના કેટલાક કાર્યકરો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ પછી કોપર અને વડવલી પુલ પાસે એકઠા થયેલા ટોળા સાથે ગુનો ક્યારે નોંધવામાં આવશે? આ પ્રશ્ન મનસેના ધારાસભ્ય રાજુ પાટિલે ઉઠાવ્યો હતો. તો હવે આ લગ્ન સમારંભ બાદ સેના અને મનસે વચ્ચે જામશે. આ લગ્ન સમારોહમાં અહીના ઘણા નેતાઓ પણ હાજર રહ્યા હતા



