Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કલ્યાણની આધારવાડી જેલમાંના ૩૦-કૈદીઓને કોરોનાનુ સંક્રમણ,થાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા


કલ્યાણની આધારવાડી જેલના ૩૦ કૈદીઓને કોરોનાનુ સંક્રમણ થયેલ હોય તેઓને થાણાની સેન્ટ્રલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની માહિતી જેલ અધિક્ષક એ આપીછે મળેલી માહિતી મુજબ કોરોનાના વધતાજતા સંક્રમણને લીધે રવિવારે જેલ પ્રશાસન દ્વારા જેલના સવૅ ૩૫૦ કૈદીઓની કરયેલી કોરોના તપાસમાં ૩૦ કૈદી કોરોના પોઝિટિવ આવતા, આ કૈદીઓને થાણાની સેન્ટ્રલ હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લીધો હતો.જેલમા રહેલા ૪૫ વષૅ ઉપર ના સવૅ કૈદીઓને વેક્સિન આપવાની શરૂઆત કરી છે.જ્યારે જેલમાં કોરાનાના દરદીઓ મળતા સંપૂર્ણ જેલને સેનેટાઈઝ કરવામાં આવી છે.કૈદીઓને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે અને એકાદ કૈદીને થંડી અથવા તાવ આવે તો તે માટે જેલમાં કોરોન્ટાઈન કક્ષ બનાવેલ હોઈ આવા કૈદીને થોડોક વખત માટે ત્યાં રખાય છે.તેમજ ડૉન બોસ્કો શાળા માં કોરોન્ટાઇન કક્ષ સ્થાપવામાં આવેલ હોઈ નવા કૈદીઓને ત્યાં રાખવાની સગવડ કરવામાં આવી હોવાની માહિતી જેલ અધિક્ષક એ.સદાફુલેએ આપી છે


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads