Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ભિવંડીના મોતી કારખાના ભયાનક આગ, આગમાં ફેક્ટરી બળીને ખાખ

આગ ઉપર કંટ્રોલ મેળવ્યો હોવા છતાં, આગમાં એકજ કલ્લાક માં આખી મોતીની ફેકટરી બળીને ખાક થઈ છે.  માત્ર, આ દૂરધટનામા કોઈ જાનહાનિ નોંધાઈ નથી.પરંતુ ફેક્ટરી માં નો લાખો રુપીયા ના પ્લાસ્ટિકના મોતીનો જથ્થો અને મશીનો  બાળી ખાક થયા છે.


આગની ધટનાની જાણ થતાં ભિવંડી અગ્નિશમન દળના બે બંબાઓ ઘટના સ્થળેદોડી ગયા હતા.  આગપર નિયંત્રણ મેળવેલ હોવા છતાં આગમાં  એકજ કલ્લાક માં મોટુ નુકશાન થયું છે, એમાં મોતીની  ફેક્ટરી બળી ખાક થઈ છે.  માત્ર, આગની જાણ થતાં ફેક્ટરી ના વકૅરો ફેક્ટરી ની બહાર દોડી જવાને લીધે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.પરંતુ આ ઘટનામાં ફેક્ટરી નો લાખો રૂપિયા ના પ્લાસ્ટિક નાં મોતી અને મશીનરી બળીને ખાક થઈ  છે.  ભિવંડી મહાપાલિકાની હદમાં મોતી કારખાના ઓ પર બંદી છે  છતાં અહી આવી  ફેક્ટરી બિન્દાસ શરુ છે.

જ્વલનશીલ સામગ્રી

ભિવંડીમા આગ લાગવાના બનાવો રોકાતા નથી, આજે ફરી બપોરના સમયે મોતી કારખાના ને આગ લાગી. આ કારખાના માં કેમિકલ જ્વલનશીલ પદાર્થ ની સાથે પ્લાસ્ટિક દાણાઓ માંથી તૈયાર કરેલા મોતી મોતીનો જથ્થો રાખ્યો હતો આ કારખાનામાં આગ લાગતાં આ કારખાના માં  કામ કરનારા કામદારો કામ છોડીને કારખાના ની બહાર દોડી આવ્યા તેને લીધે આ દૂગૅટનાથી કોઈ જાતની જાનહાનિ નોંધાઈ નહી. હાલમાં આગ ઉપર સંપૂર્ણ કાબૂમાં હોઈ કુલીંગ કામ સુરુ છે. આગનુ ખરુ કારણ હજુ સમજી શકાયુ નથી.

ભિવંડી આગની ધટના ઓ થોભશે ક્યારે ?

ભિવંડી શહરમા મોટાપાયે નાગરીવસ્તી માં અનેક  મોતી ની ફેક્ટરી  અથવા વેરહાઉસ આવેલ છે, તેમાં જ્વલનશીલ તેમજ અતિશય જોખમી રસાયણો અને સાહિત્ય હોય છે.   ચાર વર્ષ જુની ધટના માં એક મોતી કરખાના આગ લગતા 2 કમગારોના મૃત્યુ થયા હતા.  તે સમયે પાલિકા પ્રશાસન એ શહેરમાના મોતી કારખાના ઓ બંધકરવા નિણૅય લીધો હતો અને સંબંધિત કારખાના, મલીકોને  નોટીસો બજાવી હતી.પરંતુ પાલીકા ની આ યોજના ફ્ક્ત કાગળ પરજ રહી હતી. આજે મોતી કારખાના માં લાગેલી આગ નિમિત્તે ભિવંડીની આગની ધટનાઓ થોભશે ક્યારે ?  એવો સવાલ ઉભો થયો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads