Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

હિંદુત્વ માટે ભાજપને સહકાર આપવા ડોમ્બિવલીમાં ૨૫૦ મંડળોનો નિર્ધાર જાહેર

મંડળોના બે હજાર પદાધિકારીઓ અને કાર્યકરોનો મેળાવડો પૂર્ણ થયો હતો

ડોમ્બિવલી : ડોમ્બિવલીમાં વિવિધ સામાજિક સંસ્થાઓ અને જાહેર સંસ્થાઓએ હિન્દુત્વ માટે ભાજપને સહકાર આપવાનું નક્કી કર્યું. જાહેર બાંધકામ મંત્રી રવિન્દ્ર ચવ્હાણના કોન્સેપ્ટ પર રવિવારે સંત સાવલારામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એક મેળાવડામાં વિવિધ સંસ્થાઓ અને મંડળોના પદાધિકારીઓ અને કાર્યકરોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

જ્યારે જ્યારે મંત્રી રવિન્દ્ર ચવ્હાણે હાથ મજબૂત કરવા માટે સમર્થનની અપીલ કરી, ત્યારે મંડળોએ રવીન્દ્ર ચવ્હાણ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા લગાવ્યા હતા.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતને આગળ લઈ જવા માટે સક્ષમ નેતા છે અને તેમણે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. એવું કહી ભાવુક સાદે ચવ્હાણે કહ્યું કે રાજ્યમાં મહાયુતિ સરકારને ચૂંટવા માટે દરેકનો સાથ મહત્વનો છે.

 આ પ્રસંગે પ્રધાન ચવ્હાણે રવિવારે મુખ્ય પદાધિકારીઓ અને કાર્યકરો સહિત ભાજપના ૧૪૩ વિધાનસભા મતવિસ્તારોના કાયૅકરોની એક બેઠક પણ યોજી હતી, જેમાં ૪૦૦૦ કરતાં વધુ કાર્યકરોએ હાજરી આપી હતી. સંત સાવલારામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં નમો રમો દાંડિયા રાસ ઉત્સવ પેંડોલ ખાતે આ મેળાવડાનું સમાપન થયું હતું. તે સમયે ભાજપા કલ્યાણ જિલ્લા અધ્યક્ષ નાના સૂર્યવંશી, પૂર્વ કોર્પોરેટર મંદાર હળબે, રાહુલ દામલે, મુકુંદ પેડનેકર, સંદીપ પુરાણિક, શૈલેષ ધાત્રક, વિકાસ મ્હાત્રે, ખુશ્બુ ચૌધરી, મંદાર તાવરે, સાંઈ શેલાર, શશિકાંત કાંબલે, નંદુ પરબ, વિનોદ કાલીન, રાજન કલ્યાણ વગેરે હાજર રહ્યા હતા. સમીર ચિટનીસ, વિશ્વદીપ પવાર, રાજુ શેઠ, નિલેશ મ્હાત્રે, પૂનમ પાટીલ સહિત અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમયે મંત્રી રવિન્દ્ર ચવ્હાણે ઉપસ્થિત કાયૅ કરોને સંબોધતા જણાવ્યું કે ચૂંટણી માટે કેવી રીતે કામ કરવું, પક્ષનો પ્રચાર પ્રસાર કેવી રીતે કરવો અને મતદારો સુધી કયા મુદ્દાઓ લઇ જવા જોઇએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ સમયે સભામાં ઉપસ્થિત લોકોએ જય શ્રી રામ, વંદે માતરમ, ભારત માતા કી જયના નારાઓ લગાવતાં સભાખંડ ધમ ધીમી ઉઠ્યો હતો.




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads