Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કલ્યાણ તાલુકામાં મુશળધાર વરસાદ,અનેક ભાગોમાં પાણી ભરાયા, ઉલ્લાસ નદીમા પુર જેવી પરિસ્થિતિ


કલ્યાણ, ડોમ્બિવલી, ઉલ્લાસ નગર, અંબરનાથ અને બદલાપુર વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પડતા મુશળધાર વરસાદને લીધે અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોનુ જન જીવન ખોરવાઈ ગયું છે. રાયતા પાસેના ઉલ્લાસ નદીપરના પુલ પરથી પાણી વહેવા લાગ્યુછે તેથી ટિટવાલા, ગોહીલી, મુરબાડ,માલશેત ઘાટ તરફ જનારા રાયતા પાસેના પુલ પરનો રસ્તો બંધ થઈ ગયો છે. કલ્યાણ તથા ડોમ્બીવલીની અનેક નિચાણવાળા ભાગોમાં આવેલી ચાલીઓમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલી માં મુકાયા છે. કલ્યાણના ખાડી કિનારા,રેતી બંદર તથા ગણેશ ઘાટ વિસ્તારમાં આવેલા ઝુંપડાઓમાં પાણી ભરાતા તેઓ રસ્તા પર આવી ગયા છે જ્યારે રેતી બંદરના અનેક તબેલાઓમાં પાણી ભરાતાં રસ્તામાં સેંકડો ભેસોને બાંધવામાં આવી છે. કલ્યાણ ડોમ્બિવલી મહાપાલિકાનાની ટીમ ખાડી કિનારા ભાગોમાં બચાવ કાયૅ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. કલ્યાણ તાલુકામાં આવેલ રાયતા ખાતેની મુંબઈ પાંજરાપોળના મેનેજર વાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ઉલ્લાસ નદીના વધતા જતા પાણીને ધ્યાનમાં લેતાં પાંજરાપોળમાની ગાયોને સાવધાની માટે ટેકરાપર  ચડાવી દેવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads