જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારાને ધ્યાનમાં રાખીને, થાણે ગ્રામીણ વિસ્તારમાં સંકલિત આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ હેઠળ કાર્યરત સરકારી છાત્રાલયો, સરકારી આશ્રમ શાળાઓ અને સહાયિત આશ્રમ શાળાઓને બંધ કરવાનો નિર્ણય જીલ્લા કલેક્ટર રાજેશ નાર્વેકરે લીધો છે. આ અંગેનો આજે આદેશ જારી કરવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓનું ભણતર બંધ ન થાય તે માટે સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા મુજબ ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ધોરણ ૧૦ અને ૧૨ માત્ર વિદ્યાર્થીઓ અને માતાપિતાની સંમતિથી ભણાવવા અને શીખવા માટે ચાલુ રાખી શકાશે એવુ આદેશ માં જણાવ્યું છે.


