ભીવંડી તાલુકાના પડઘા નજીક ખડાવલી ખાતે માતોશ્રી વૃદ્ધાશ્રમના ૬૯ જેટલા વરિષ્ઠ નાગરિકોને કોરોનાનો ચેપ લાગ્યો છે અને તે તમામને સારવાર માટે થાણે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે એવુ જાણવા મળ્યું છે.
ભિવંડી તાલુકાના પડઘા પાસે ખડાવલી ખાતે નદીકાંઠે માતોશ્રી વૃદ્ધાશ્રમ છે અને ત્યાં સોથી વધુ વૃદ્ધો રહે છે. જ્યારે જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં, ખાસ કરીને ભિવંડી શહેરમાં કોરોનાની અટકાયત કરવામાં આવી હતી, ત્યારે આશ્રમના કેટલાક લોકોએ તાવને કારણે ગયા અઠવાડિયે સારવાર શરૂ કરી હતી. જોકે, એક વૃદ્ધ વ્યક્તિનો તાવ ઓછો ન થતાં તેનો કોરોના ટેસ્ટ થતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ આ તમામને સારવાર માટે થાણે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એમ વૃદ્ધાશ્રમના સંચાલક અશોક પાટીલે જણાવ્યું હતું.


