કલ્યાણના પશ્ચિમમાં બેતુરકર પાડાના એવરેસ્ટ નગરમાં વિસર્જન માટે મૂર્તિ બહાર કાઢતી વખતે એક ગણેશ મંડળના કાર્યકર્તાનું વિજળીનો કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું. પ્રશાંત ચવ્હાણ (૨૮) આ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકનું નામ છે.
કલ્યાણ પશ્ચિમના એવરેસ્ટ નગર વિસ્તારમાં બેતુરકર પાડામાં ગણેશોત્સવ છેલ્લા ૩૮ વર્ષથી ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ આ મંડળ દ્વારા ગણેશોત્સવ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો હતો. આ વિસ્તારમાં રવિવારે સાંજે વિસર્જનની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. તે જ સમયે, ભારે વરસાદને કારણે, મંડપમાં લાઇટ ચાલુ બંધ થવાનું શરૂ થયું. મંડળના કાર્યકર્તા પ્રશાંત ચવ્હાણ મંડપમાં તેને જોવા ગયા અને તપાસ ચાલી રહી હતી ત્યારે વીજળીનો જોરદાર ઝટકો લાગ્યો હતો તેની ચીસો સાંભળીને અન્ય કાર્યકરો ઘટનાસ્થળ પર દોડી ગયા હતા અને પ્રશાંતને નીચે પટકાતો જોયો હતો. ક્ષણનો વિલંબ કર્યા વિના કાર્યકરો તેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ સારવાર દરમિયાન પ્રશાંતનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી એવરેસ્ટ નગર વિસ્તારમાં ભારે શોક ફેલાયો છે.


