Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કડોમપા રેલ્વે પાસ આપવા માટે તૈયાર, રેલવે ટિકિટ કાઉન્ટરની પાસે પાલીકાનુ મદદ કેન્દ્ર


મુંબઈની જીવાદોરી લોકલ ટ્રેન, જે કોરોના પ્રતિબંધોને કારણે બંધ છે, તેને સામાન્ય લોકો માટે ૧૫ ઓગસ્ટથી  શરૂ કરવામાં આવી છે.  જો કે, જે મુસાફરોએ વેક્સિન ના બંન્ને ડૉઝ લીધાના ૧૪ દિવસ બાદ તેઓ જ આ લોકેલમાંથી મુસાફરી કરી શકશે.  મહાનગરપાલિકા અને રેલવે પ્રશાસન દ્વારા આ મુસાફરોનું કોરોના રસીકરણ પ્રમાણપત્ર તપાસવા અને તેમને પાસ આપવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

કલ્યાણ, ડોમ્બિવલી, કોપર, ઠાકુરલી, શહાદ, અંબિવલી, ટિટવાલા રેલવે સ્ટેશન પર ટિકિટ કાઉન્ટરો પાસે હેલ્પ ડેસ્ક બનાવવામાં આવશે અને આ સ્ટોલ આવતીકાલથી સવારે ૭ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

નાગરિકો કે જેઓ કોવિડ -૧૯ રસીકરણ પ્રમાણપત્રની નકલ અને મૂળ સરકારી ઓળખ કાર્ડ અને તેની ફોટો કોપી આધારકાર્ડ સાથેનો ફોટો લઈને આવ્યા હશે તેઓ પહેલા કોર્પોરેશનના હેલ્પ ડેસ્કમાં દસ્તાવેજોની ચકાસણી કરાવશે અને હેલ્પ ડેસ્ક સ્ટાફ તારીખ સાથે તેની ચકાસણી કરશે,  રેલવે ટિકિટ કાઉન્ટર પર ચકાસાયેલ પ્રમાણપત્ર અને ઓળખ કાર્ડ ( આધાર કાર્ડ) દર્શાવ્યા બાદ, સંબંધિત નાગરિકો મુસાફરી માટે નિયત રકમ ચૂકવ્યા બાદ માસિક ટ્રેન પાસ મેળવશે.

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે નાગરિકોએ માસિક ટ્રેન પાસ, રસીકરણ પ્રમાણપત્ર અને તેમના ઓળખ કાર્ડની નકલ સાથે રાખવાની જરૂરી રહેશે.  નાગરિકો માટે સાર્વત્રિક પાસ માટે રાજ્ય સરકારની ઓનલાઇન સેવા શરૂ થયા બાદ આ નાગરિકો પોતાનો સાર્વત્રિક પાસ મેળવી શકશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads