શહેરી વિકાસ અને થાણે જિલ્લા પાલક મંત્રી એકનાથ શિંદેએ થાણે જિલ્લા હોસ્પિટલના પુનર્વિકાસની સુધારેલી યોજનાને તાત્કાલિક મંજૂરી આપી સરકારને સુપરત કરવા નિર્દેશ આપ્યો છે. જિલ્લા હોસ્પિટલના પુનર વિકાસની સમીક્ષા કરવા યોજાયેલી બેઠકમાં તેમણે આ સૂચના આપી હતી.
થાણે જિલ્લા હોસ્પિટલના પુનર્વિકાસનો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી પડતર છે. આ હોસ્પિટલની જગ્યા પર સુસજ્જ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ સ્થાપવા માટે શ્રી.શિંદે છેલ્લા કેટલાક સમયથી પ્રયાસ કરી રહ્યા હતા. નવી પુનર્વિકાસ દરખાસ્ત મુજબ હોસ્પિટલની ક્ષમતા ૫૫૦ બેગથી ૯૦૦ બેગ સુધી વધારવામાં આવશે. ઉપરાંત, હોસ્પિટલના મકાનની સાથે એક નર્સિંગ બિલ્ડિંગ પણ સૂચિત છે.
સુધારેલી યોજના મુજબ અંદાજિત ખર્ચ ૩૧૪ કરોડ રૂપિયાથી વધીને ૫૨૭ કરોડ રૂપિયા થયો છે.
સુધારેલા પુનર્વિકાસની યોજના આરોગ્ય વિભાગને સુપરત કરી દેવામાં આવી છે અને તેને વહેલી તકે મંજૂરી આપી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. શિંદે બેઠકમાં આરોગ્ય વિભાગને સંબોધન કર્યું હતું. સુધારેલા આર્થિક મંજૂરી માટે દરખાસ્ત રજૂ કરવા તેમણે રાજ્ય સરકારને સૂચના પણ આપી હતી કારણ કે સુધારેલા યોજના પ્રમાણે ભાવમાં વધારો થઈ રહ્યો છે એવુ શિંદેએ કહ્યું.
થાણે જિલ્લા હોસ્પિટલનું મકાન જૂનું અને જર્જરિત હોવાથી તેનો ઝડપથી વિકસિત કરવાની જરૂર છે. વળી, આ હોસ્પિટલ માત્ર થાણે જ નહીં પરંતુ આજુબાજુના જિલ્લાઓના દર્દીઓ માટે પણ આધારસ્તંભ છે, એમ શિંદેએ કહ્યું. તેથી, સુધારેલા પ્રસ્તાવને મંજૂરી આપવા તાત્કાલિક કાર્યવાહી કરવા તેમણે આરોગ્ય સચિવને નિર્દેશ આપ્યો.
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. પ્રદિપ વ્યાસ, શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવ મહેશ પાઠક, થાણે જિલ્લા કલેક્ટર રાજેશ નારવેકર, જિલ્લા હોસ્પિટલ અધિક્ષક ડો. કૈલાસ પવાર અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



