Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ભિવંડી નજીક વિશ્વ ભારતી ફાટાથી ભીનાર વડપા સુધીના રસ્તાની સમસ્યા આખરે હલ થઈ



શહેરી વિકાસ પ્રધાન એકનાથ શિંદે દ્વારા એમએમઆરડીએ મારફત રસ્તાનું કામ પૂર્ણ કરવાના નિર્દેશ 

શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદેએ એમએમઆરડીએ દ્વારા થાણે જિલ્લાના ભિવંડી નજીક વાડા-ભિવંડી માર્ગ ઉપર વિશ્વભારતી ફાટાથી ભીનાર વડપા સુધીના ૭.૭૦ કિમી લાંબા રસ્તાના કામને પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે.  તેથી, આ લાંબા સમયથી પ્રલંબિત રહેલા રસ્તાનો વિષય આખરે ઉકેલાયો છે.

વાડા-ભિવંડી માર્ગના ચાર લેન માર્ગીકરણનું કામ સુપ્રીમ ઇન્ફ્રા કંપનીને આપવામાં આવ્યું હતું.  જોકે, કંપની આ રસ્તાનું કામ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરી શક્યું નથી.  દરમિયાન, રસ્તા પરના અનેક અકસ્માતોમાં સ્થાનિક ગ્રામજનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.  જેથી સ્થાનિક ગ્રામજનોએ આ મુદ્દે અવારનવાર આંદોલન કર્યું હતું.  આ અસંતોષની નોંધ લઈને સરકારે આખરે કંપનીમાંથી કામ હટાવવાનો નિર્ણય લીધો હતો.  જો કે, કંપનીએ કામ અધૂરું રાખ્યું, જેના કારણે તે પૂર્ણ કરવું મુશ્કેલ બન્યું હતું.

તેના નિરાકરણ રૂપે બાયપાસ રોડ દ્વારા મનોરને વાડા અને વાડાથી ભિવંડી સુધી જોડવાનો સરકારી સ્તરે નિર્ણય લેવામાં આવ્યો હતો.  તેથી, વિશ્વ ભારતી ફાટાથી વડપા જંકશન સુધીના માર્ગને પૂર્ણ કરવાનો નિર્ણય એમએમઆરડીએ દ્વારા આજે શહેરી વિકાસ પ્રધાનની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો.  રસ્તાનો સુધારેલ વિકાસ યોજના તૈયાર કરવામાં આવી છે અને ટૂંક સમયમાં રસ્તા પર કામ શરૂ થશે.

વિશ્વ ભારતી ફાટાથી વડપા જંકશન સુધીનો ૭.૭૦ કિલોમીટર લાંબો રસ્તો પૂર્ણ થતાં આ વિસ્તારના નાગરિકોને મોટી રાહત થશે.  કેમ કે તે ચાર-લેન કોંક્રિટ રસ્તો બનશે, આ ક્ષેત્રની યાત્રા વધુ ઝડપી બનશે

ઓછા સમયમાં વાડા અને ભિવંડી વચ્ચેનું અંતર પૂરું કરવું શક્ય બનશે.

બેઠકમાં શહેરી વિકાસ પ્રધાન, થાણે જિલ્લા કલેક્ટર રાજેશ નારવેકર, થાણે ટ્રાફીકના પોલીસ કમિશનર બાલાસાહેબ પાટીલ, એમએમઆરડીએ અને જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads