Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

થાણેના ગ્લોબલ કોવિડ સેન્ટરમાં અગ્નિશામક યંત્રણા રામ ભરોસે



વિપક્ષી નેતાઓએ અચાનક નિરીક્ષણ કર્યું અને પોલ ખૂલી, ડમી યંત્રણા તૈયાર ન કરો - શાનુ પઠાણ

કૌસાની પ્રાઈમ હોસ્પિટલમાં લાગેલી આગ બાદ પાલક મંત્રી એકનાથ શિંદે અને ગૃહ નિર્માણ મંત્રી ડો. જીતેન્દ્ર અવ્હાડે થાણાની હોસ્પિટલોનું ફાયર ઓડિટ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, વિપક્ષી નેતા અશરફ અશાન શાનુ પઠાણે ખુલાસો કર્યો છે કે થાણા મહાનગર પાલિકાના વહીવટીતંત્રે આ આદેશનું પાલન કર્યું નથી. પઠાણે ધ્યાન દોર્યું છે કે થાણા મનપા સંચાલિત ગ્લોબલ કોવિડ સેન્ટરમાં અગ્નિ સલામતી અવિશ્વસનીય છે. ફાયર બ્રિગેડના જવાનોને આ સ્થળે ગોઠવાયેલા ફાયર પ્રોટેકશન સિસ્ટમનું સંચાલન કરવાની તાલીમ આપવામાં આવી ન હતી, એમ સ્ટાફે શનુ પઠાણને જણાવ્યું હતું. દરમિયાન શાનુ પઠાણે આરોપ લગાવ્યો છે કે વહીવટીતંત્રએ ડમી ફાયર પ્રોટેક્શન સિસ્ટમ ગોઠવીને લોકોની આંખમાં ધૂળ ફેંકી છે.

વિપક્ષી નેતા શનુ પઠાણને એવી ફરિયાદો મળી હતી કે ગ્લોબલ કોવિડ સેન્ટરમાં દર્દીઓને વધુ સારી સુવિધાઓ મળતી નથી. ફરિયાદોની પુષ્ટિ કરવા માટે, શનુ પઠાણે વરિષ્ઠ કોર્પોરેટર અને એનસીપીના રાજ્ય સચિવ સુહાસ દેસાઇ, એનસીપી યુથ કોંગ્રેસના થાણે શહેર પ્રમુખ વિક્રમ ખામકરની સાથે ગ્લોબલ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું.

આ સર્વેમાં આપેલા ટેલિફોન નંબરોનો ફોન સ્વીકારવામાં આવી રહ્યો નથી. તેથી અમે એ પણ નોંધ્યું છે કે અગ્નિ સંરક્ષણ વ્યવસ્થા ખામીયુક્ત છે, એમ પઠાણે જણાવ્યું હતું.

પઠાણે જણાવ્યું હતું કે રાજ્યમાં ઘણી જગ્યાએ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ બની છે. કૌસા ખાતેની આ ઘટનામાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટના બાદ પાલક મંત્રી એકનાથ શિંદે અને ગૃહ પ્રધાન ડો. જીતેન્દ્ર અવ્હાડે થાણા મનપા વહીવટીતંત્રને ફાયર ઓડિટ કરવા આદેશ આપ્યો હતો. તેમ છતાં ખાનગી હોસ્પિટલોની હાલત દયનીય છે અને પાલિકાના વહીવટીતંત્રે તેની પોતાની હોસ્પિટલની અવગણના કરી છે. ડેપ્યુટી કમિશનર વિશ્વનાથ કેલકર અને ડો.કૃષ્ણ કુમારે જણાવ્યું હતું કે, આ સ્થળે સ્વસંચાલિત અગ્નિ સંરક્ષણ સ્થાપિત કરવામાં આવ્યું છે એવું માલેકર કહી રહ્યા છે. તો, આ સ્થળે તૈનાત ફાયરમેન જણાવી રહ્યા છે કે, સિસ્ટમની હેરાફેરી કરવામાં આવી છે અને અગ્નિ સુરક્ષા યંત્રણા માનવ સંચાલિત છે. અગ્નિશામક દળને સિસ્ટમ સંચાલન માટે તાલીમ આપવામાં આવી નથી. જો કે આ જગ્યાએ જવાબદાર અધિકારીની નિમણૂક કરવી જરૂરી છે, તેમ છતાં આ સ્થળે આવી કોઈ અધિકારીની નિમણૂક કરવામાં આવતી નથી. નોંધનીય છે કે, આગને કાબૂમાં લેવા આ સ્થળે માત્ર ૫૦૦ લિટર પાણીનું ટેન્કર ગોઠવવામાં આવ્યું છે. આ તમામ સામગ્રી 'મોકડ્રીલ' જેવી છે અને મ્યુનિસિપલ પ્રશાસને ડમી સિસ્ટમ ગોઠવીને છેતરપિંડી કરી છે. જેવી પરિસ્થિતિ ગ્લોબલની છે; તેવીજ પરિસ્થિતિ કૌસા અને પાર્કિંગ પ્લાઝાની પણ છે. તેથી, આવી દગાબાજી કરવા બદલ ચીફ ફાયર ઓફિસર સામે પગલાં લેવા જોઈએ, તેવી માંગ શાનુ પઠાણે કરી હતી.

આ સમયે સમીર નેટકે, દિનેશ બને, દિનેશ સોન કામ્બળે , ફિરોઝ પઠાણ, દિલીપ ઉપાધ્યાય સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads