થાણે શહેરમાં હાલ ૧૪ હજાર ૫૪૨ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તેમાંથી ૬૧૩ દર્દીઓ ગંભીર હાલતમાં છે, આઈસીયુમાં ૪૪૨ અને વેન્ટિલેટર પર ૧૭૧ દર્દીઓ છે.
આગામી બે દિવસમાં થાણે મહાનગર પાલિકાના પાર્કિંગ પ્લાઝા કોવિડ સેન્ટર માં ઓક્સિજનનો સ્ટોક ત્યાં ઉપલબ્ધ હશે ઓક્સિજનને લીધે અહીંના બેડ ચોક્કસપણે બજેટની મર્યાદામાં છે. બીજી તરફ પાલક મંત્રી એકનાથ શિંદે અને મહાનગરપાલિકાના પ્રયત્નોને લીધે હવે શહેરની કોવિડ અને નોનકોવિડ જેવી ૭૫ ખાનગી હોસ્પિટલોમાં પર્યાપ્ત સ્ટોક ઉપલબ્ધ છે. ઓક્સિજન સંકટ ટળી જાય તો પણ વધારાના બેડો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
થાણે શહેરમાં હાલ ૧૪ હજાર ૫૪૨ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તેમાંથી ૬૧૩ દર્દીઓ ગંભીર હાલતમાં છે, આઈસીયુમાં ૪૪૨અને વેન્ટિલેટર પર ૧૭૧ દર્દીઓ છે. પરંતુ, થોડા દિવસો પહેલા આ ચિત્ર અલગ હતું કે ખાનગી હોસ્પિટલનો મ્યુનિસિપલ કોવિડ સેન્ટરની પાસેનો ઓક્સિજનનો પુરવઠો લગભગ ખતમ થઈ ગયો હતો. શહેરમાં હાલમાં ૨૫૦ ખાનગી હોસ્પિટલો છે. તેમાંથી ૨૫ ખાનગી કોવિડ હોસ્પિટલો છે, જ્યારે ૫૦ નોન-કોવિડ હોસ્પિટલો પણ શંકાસ્પદ કોવિડ દર્દીઓની સારવાર કરી રહી છે. પરિણામે, શહેરની ૭૫ ખાનગી હોસ્પિટલો હાલમાં ઓક્સિજન માટે દોડી દોડી કરી રહી છે.
આ 'પાર્કિંગ પ્લાઝા'મા ટૂંક સમયમાં ૩૫૦ ઓક્સિજન બેડની વ્યવસ્થા કરશે અને શહેરની ૭૫ ખાનગી હોસ્પિટલોમાં દરરોજ ૬૮ મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડશે . પાલક મંત્રી અને મહાનગર પાલિકાના અધિકારીઓએ ખાનગી હોસ્પિટલોની ઓક્સિજનની સમસ્યાનું સમાધાન કર્યું છે. તેમ છતાં તેમને વધારાનો સ્ટોક મળી રહ્યો હોવા છતાં આ હોસ્પિટલોમાં પુરતો સ્ટોક મળી રહ્યો છે તેમ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન થાણેના પ્રમુખ ડો. સંતોષ કદમનુ કહેવુ છે
દર્દીઓની સંખ્યામાં વધારો થતાં વધુ ઓક્સિજનની જરૂર પડે છે. તેથી વધારાના બેડો ઉપલબ્ધ હોવા જોઈએ, તેવી માંગ તેમણે કરી હતી. પાલિકાએ બે ઓક્સિજન પ્લાન્ટ લગાવવાની કામગીરી હાથ ધરી છે અને પાર્કિંગ પ્લાઝામાં બે થી ત્રણ દિવસમાં ૩૫૦ ઓક્સિજન બેડ શરૂ કરવામાં આવશે. બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો પૂરતો સંગ્રહ છે.



