થાણા જીલ્લા માં કોરોનાના આજે ૫૭૫૪ નવા પેશંન્ટો મળી આવ્યા જ્યારે ૨૪ પેશંન્ટોના મૃત્યુ, જીલ્લા પ્રશાસન પરેશાન
એપ્રિલ 10, 2021
0
છેલ્લા કેટલાક દિવસોથી અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા હોવા છતાં થાણા જીલ્લા માં કોરોના દર્દીઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. તેનાથી વિપરિત, કોરોનાનો આંકડો ધીરે ધીરે વધી રહ્યો છે. શનિવારે થાણા મહાનગરપાલિકા હદમાં ૧૪૬૪ નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા, અને પાંચ પેશંન્ટોના મૃત્યુ થયા છે જ્યારે કલ્યાણ-ડોમ્બિવલીમાં-૧૯૯૩ નવા પેશન્ટ, મૃત્યુ-૩ ,નવિ મુંબઈ માં નવા પેશંન્ટો ૮૯૩, મૃત્યુ-૫, મિરા-ભાયંદર નવા ૪૬૧, મૃત્યુ-૬, ઉલ્હાસનગર ૨૧૨, ભિવંડી- નવા ૧૧૧, મૃત્યુ-૨,અંબરનાથ નગરપાલીકા-૩૨૪, મૃત્યુ-૩,બદલાપુર નગરપાલિકા-૧૯૨,તથા થાણાના ગ્રામિણ ભાગોમાંથી આજે- ૧૦૧ નવા દર્દીઓ મળી આવ્યા છે,પરિણામે,જીલ્લામાં આજે કુલ ૫૭૫૪નવા દર્દીઓની સંખ્યા થયેલ છે. જ્યારે જીલ્લામાં આજે ૨૪ પેશન્ટોનાં મૃત્યુ થયાં છે. અને જીલ્લા માં કુલ ૫૩૫૬૩ પેશંન્ટો એક્ટીવ છે.જીલ્લા માં વધતા જતા કોરોના પેશંન્ટોને લીધે પ્રશાસન ની ચિંતા માં વધારો થયો છે



