છેલ્લા કેટલાક દિવસોથી અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા હોવા છતાં થાણા જીલ્લા માં કોરોના દર્દીઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. તેનાથી વિપરિત, કોરોનાનો આંકડો ધીરે ધીરે વધી રહ્યો છે. શુક્રવારે થાણા મહાનગરપાલિકા હદમાં ૧૩૭૦ નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા, અને ૩ પેશંન્ટોના મૃત્યુ થયા છે જ્યારે કલ્યાણ-ડોમ્બિવલીમાં-૧૧૦૮ નવા પેશન્ટ, મૃત્યુ-૩ ,નવિ મુંબઈ માં નવા પેશંન્ટો ૯૭૭, મૃત્યુ-૩, મિરા-ભાયંદર નવા ૩૧૯, મૃત્યુ-૨ ઉલ્હાસનગર ૧૭૬, ભિવંડી- નવા ૧૧૨,અંબરનાથ નગરપાલીકા-૧૬૭, મૃત્યુ-૧,બદલાપુર નગરપાલિકા-૧૦૯, મૃત્યુ-૨,તથા થાણાના ગ્રામિણ ભાગોમાંથી આજે- ૩૩ નવા દર્દીઓ મળી આવ્યા છે.અને ૦૧ નુ મૃત્યુ થયુ છે.પરિણામે,જીલ્લામાં આજે કુલ ૪૩૭૧નવા દર્દીઓની સંખ્યા થયેલ છે. જ્યારે જીલ્લામાં આજે ૧૫ પેશન્ટોનાં મૃત્યુ થયાં છે. જીલ્લા માં વધતા જતા કોરોના પેશંન્ટોને લીધે પ્રશાસન ની ચિંતા માં વધારો થયો છે