ડોમ્બિવલીના રહેવાસીઓ માટે પોતાના ખર્ચે સગવડો કરશે
રાજ્યમાં કોરોનાના મુદ્દે તીવ્ર રાજકારણમાં રમાય છે, ત્યારે ડોમ્બિવલીમાં સ્થાનિક રાજકારણીઓ તેમાં અપવાદ છે. ડોમ્બિવલી શહેરમાં કોરોના દર્દીઓની વધતી સંખ્યા અને ક્ષીણ થઈ રહેલી વ્યવસ્થાને જોઈને, આ સર્વપક્ષીય રાજકારણીઓએ 'હમ સબ એક હૈ'ના સંદેશ સાથે કોરોના સામે લડવા એકસાથેઆવ્યા છે.
રાજ્યમાં કોરોનાથી લઈને મુખ્ય પક્ષોમાં હાલમાં એક મોટી રાજનીતિ ચાલી રહી છે. વર્તમાન મુશ્કેલ પરિસ્થિતિમાં, જ્યારે રાજકારણને બાજુ પર રાખવાની જરૂર છે અને દરેકને એક સાથે આવવાની જરૂર છે, ત્યારે વાસ્તવિકતા તેનાથી વિરુદ્ધ છે. પરંતુ સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાતા ડોમ્બિવલી શહેરએ આ નકારાત્મક છબીને ભૂંસી નાખવાની પહેલ કરી છે. ડોમ્બિવલીની કથળતી પરિસ્થિતિ જોઈને શિવસેનાના સદાનંદ થરવળ, ડોમ્બિવલીના જીતેન્દ્ર ભોઇર, નંદુ મ્હત્રે, એનસીપીના નંદુ માલવંકર, મનસેના પ્રકાશ માણે, ભાજપના નંદુ પરબ અને આરપીઆઈના કિશોર તાબે આજે એક સાથે આવ્યા હતા કમિશનર ડૉ. વિજય સૂર્યવંશીને મળ્યા અને ચર્ચા કરી હતી, હાલમાં કોવિડ દર્દીઓ અને તેમના સંબંધીઓનો મોટો ધસારો છે.બેડ ક્યાં ઉપ્લબ્ધ છે, ઈંજેક્શન ક્યાંથી મળશે ? પ્લાઝ્મા ક્યાંથી મેળવી શકાય ? એમ્બ્યુલન્સ ક્યાંથી મેળવી શકાય ? રસીકરણ ક્યાંઅને ક્યારે શરૂ થાય છે? ડોમ્બિવલીના રહેવાસીઓ હાલમાં આવા અસંખ્ય પ્રશ્નોથી પરેશાન છે. સદાનંદ થરવળ એ જણાવ્યું હતું કે તેઓ ડોમ્બિવલીમાં સર્વપક્ષી લોકો મળી કોરોના સામે લડવા સહાય કેન્દ્રની સ્થાપના કરી રહ્યા છે, કેમ કે ઘણા લોકોને તે વિશે માહિતી ક્યાંથી મેળવવી તેની ખબર હોતી નથી. મ્યુનિસિપલ કમિશનર ડૉ.સૂયૅવંશીએ આજે અમારી સાથે સકારાત્મક ચર્ચા થઈ હતી અને મ્યુનિસિપલ પ્રશાસને આ તમામની મદદ લેવાનું અને મદત કરવાનુ નક્કી કર્યું છે. તેવુ સૂર્યવંશીએ જણાવ્યું હતું



