કલ્યાણ ડોમ્બિવલી મહાપાલિકાના પ્રશાસક તરીકે થાણા જિલ્લા પરિષદના મુખ્ય કાયૅકારી અધિકારી ભાઉસાહેબ દાંગડેની નિમણૂક કરવામાં આવી છે. તેઓ વતૅમાન કમિશનર ડૉ.વિજય સૂયૅવંશીની જગ્યા પર નિમણૂક થયા છે. ડૉ.વિજય સૂયૅવંશીની બદલી કરવામાં આવી છે.
ભાઉસાહેબ દાંડગેની થાણા જિલ્લા પરિષદ ના મુખ્ય કાયૅકારી અધિકારી તરીકેની ઉત્તમ કામગીરી ને ધ્યાનમાં લેતાં તેમને બઢતી આપી કલ્યાણ ડોમ્બિવલી મહાપાલિકાના પ્રશાસક તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની નિમણૂક કરતો પત્ર મહારાષ્ટ્ર સરકારના અપર મુખ્ય સચિવ નિતીન ગદ્રેએ કાઢેલા ઑડૅરમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે.