Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ડોમ્બીવલીના બે યુવાનોનુ પાણીમાં ડૂબી જવાથી થયુ મૃત્યુ, કૉલેજના ૧૨ વિધાર્થી ગયા હતા પિકનિક

ડોમ્બીવલીના બે યુવાનો નુ આજે બપોરે પાણીમાં ડૂબી જતાં મૃત્યુ થયું છે.આ બાબતે ઉલ્લાસ નગર હિલલાઈન પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.


મળેલી માહિતી મુજબ ડોમ્બીવલીની મંજૂનાથ કૉલેજના ૧૨ વિદ્યાર્થીઓ આજે અંબરનાથ તાલુકાના મલંગગડ પાસેના આબેગાવના પાટબંધારાના પાણીમાં તરવા માટે ગયા હતા અને પાણીમાં તરવા ગયા પરંતુ એક યુવાનને ડૂબતો બચાવવા પડેલા બે યુવાનો પાણીનો અંદાજ ન આવતા પાણના પ્રવાહમાં તણાઈ ડૂબી ગયા હતા. સ્થાનિક ગામના લોકોએ તેમના મૃતદેહને બહાર કાઢ્યા બાદ હિલલાઈન પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ગત વર્ષે આ પાણીમાં છ યુવાનોનો ભોગ લેવાયો હોવાનું જાણવા મળે છે. મૃતક યુવાન નુ નામ અંકીત કનોજીયા તથા નિખીલ જયસ્વાલ હોવાનું જાણવા મળે છે બંન્ને યુવાનો ની ઉંમર ૧૭ વર્ષ ની આસપાસ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads