Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

જોખમી મકાનો, રસ્તાની મરામત અને સફાઇ કામોમા બેદરકારી સહન કરવામાં આવશે નહીં,થાણા મનપા કમિશનર ડો.વિપિન શર્માની અધિકારીઓ ને ચેતવણી


રસ્તાઓ પર થતા અકસ્માતોને અટકાવવા ખાડા પુરવા, જોખમી મકાનો, રસ્તાના સમારકામો અને સફાઇ કામો તાત્કાલિક કરવાના આદેશ આપતા આ અંગે કોઈ બેદરકારી સહન કરવામાં આવશે નહીં એવુ થાણા મનપા કમિશનર ડૉ.વિપિન શર્માએ તમામ સંબંધિત અધિકારીઓને ચેતવણી આપતા ક્હ્યું હતુ.  તેમણે શહેરના રસ્તાઓમાં પડેલા ખાડાઓની સ્થિતિ અંગે અહેવાલ રજુ કરવા સૂચના આપી હતી અને મ્યુનિસિપલ કમિશનર પોતે બે દિવસમાં રસ્તાઓની  જાણકારી લેશે.

છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને પગલે રસ્તાઓ પર ખાડા પડી ગયા છે અને આજે મ્યુનિસિપલ કમિશનર ડો.  વિપિન શર્માએ તરત જ તમામ વિભાગના વડાઓની બેઠક બોલાવી હતી  આ બેઠકમાં તેમણે સંબંધિત વરસાદને લીધે પડેલા તમામ ખાડા, માર્ગ ડિવાઇડર અને પેવમેન્ટ સમારકામની પ્રક્રિયા તાત્કાલીક શરૂ કરવા સંબંધિત અધિકારીઓને કડક આદેશો આપ્યા હતા.

આ પ્રસંગે એડિશનલ કમિશનર સંજય હરવડે, ડેપ્યુટી કમિશનર સંદીપ માલવી, અશોક બુરપલે, મનીષ જોશી,મ્યુનિસિપલ એન્જિનિયર રવિન્દ્ર ખડતલે અને તમામ મદદનીશ કમિશનરો અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરો હાજર રહ્યા હતા.

તેમણે તમામ એક્ઝિક્યુટિવ ઇજનેરોને તેમના સંબંધિત વોર્ડની મુલાકાત લેવા અને ખાડાઓની હાલત તપાસો અને ખાડાઓ તાત્કાલિક ભરવાની સૂચનાઓ આપી હતી.

તેમણે તમામ અધિકારીઓને શહેરમાં રસ્તા મા પડેલા ખાડાઓ ભરવા, રસ્તાના ડિવાઇડરોનું સમારકામ, ફૂટપાથાનું સમારકામ, સાફ સફાઈ ના કામો, જોખમી બિલ્ડિંગો તોડી પાડવા, વૃક્ષોને સુંદર બનાવવા અને વૃક્ષારોપણને યુદ્ધના ધોરણે કરવા કડક આદેશ આપ્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads